અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનારા તમામને કોર્ટે જામીન પર મુક્ત કર્યા

અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્વનું છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા.

-> અલ્લુ અર્જુનના ઘરે જોરદાર હંગામો થયો :- અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.

-> 1 કરોડના વળતરની માંગણી કરી રહ્યા હતા :- રિપોર્ટ અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ અભિનેતાના ઘરની અંદર ટામેટાં ફેંક્યા અને બહારના વાસણો તોડી નાખ્યા. કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે હુમલાની પણ માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં માર્યા ગયેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યા હતા.

-> શું છે મામલો? :- 4 ડિસેમ્બર, 2024ના રોજ, અલ્લુ અર્જુન પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે તેની ટીમ સાથે સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.. આ દરમિયાન અર્જુનને જોવા માટે લોકો પણ એકઠા થઈ ગયા હતા. અર્જુન અંદર મૂવી જોઈ રહ્યા હતા ત્યારે બહાર ભાગદોડ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી ઘણા લોકો અલ્લુ અર્જુનનો વિરોધ કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અલ્લુ અર્જુન હાલમાં જામીન પર બહાર છે.

Related Posts

Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *