અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરનારા તમામને કોર્ટે જામીન પર મુક્ત કર્યા

અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કરવા બદલ ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળી ગયા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્વનું છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહારથી 6 લોકોની અટકાયત કરી હતી.પોલીસે તેમની સામે BNSની કલમ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે તમામને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં કોર્ટે પોલીસ રિમાન્ડ નામંજૂર કરી તમામને 10,000ના બોન્ડ પર જામીન પર મુક્ત કર્યા હતા.

-> અલ્લુ અર્જુનના ઘરે જોરદાર હંગામો થયો :- અહેવાલ મુજબ, ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ રવિવારે હૈદરાબાદના જુબિલી હિલ્સમાં અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓએ અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.

-> 1 કરોડના વળતરની માંગણી કરી રહ્યા હતા :- રિપોર્ટ અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓએ અભિનેતાના ઘરની અંદર ટામેટાં ફેંક્યા અને બહારના વાસણો તોડી નાખ્યા. કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે હુમલાની પણ માહિતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલી નાસભાગમાં માર્યા ગયેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયાના વળતરની માંગ કરી રહ્યા હતા.

-> શું છે મામલો? :- 4 ડિસેમ્બર, 2024ના રોજ, અલ્લુ અર્જુન પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે તેની ટીમ સાથે સંધ્યા થિયેટરમાં પહોંચ્યા હતા.. આ દરમિયાન અર્જુનને જોવા માટે લોકો પણ એકઠા થઈ ગયા હતા. અર્જુન અંદર મૂવી જોઈ રહ્યા હતા ત્યારે બહાર ભાગદોડ મચી ગઈ હતી અને એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યારથી ઘણા લોકો અલ્લુ અર્જુનનો વિરોધ કરી રહ્યા છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. અલ્લુ અર્જુન હાલમાં જામીન પર બહાર છે.

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *