અમદાવાદ: વીજળી ઘર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસનો ‘ખુલ્લેઆમ તોડ’? TRB જવાન ચેકિંગ કરે ને સાહેબ તમાશો જુએ!

અમદાવાદ:શહેરમાં ટ્રાફિક નિયમન અને લોકોની સુરક્ષા માટે તૈનાત ટ્રાફિક પોલીસ ફરી એકવાર વિવાદોના ઘેરાવમાં આવી છે. અમદાવાદના ઈ-ટ્રાફિક પોલીસ સ્ટેશન હેઠળ આવતા વીજળી ઘર ચાર રસ્તા બીટ પરથી ખાખીને દાગ લગાડતી એક કથિત ઘટના સામે આવી રહી છે.

વીજળી ઘર ચાર રસ્તા બીટ પર નિયમોના નામે વાહનચાલકોની કનડગતની આશંકા.TRB જવાનો લાયસન્સ અને RC બુક ચેક કર્યા બાદ તોડબાજી કરતા હોવાનો આક્ષેપ.પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં બેસી તમાશો જોતા હોવાની ચર્ચા: ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે?

અહીં ટ્રાફિક વ્યવસ્થા સુધારવાને બદલે વાહનચાલકો પાસેથી ખુલ્લેઆમ ‘તોડ’ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે.TRB જવાનો આગળ, સાહેબ સાઈડમાં!

મળતી માહિતી મુજબ, વીજળી ઘર ચાર રસ્તા પર TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોને આગળ ધરીને આખી રમત રમવામાં આવી રહી છે. કાયદાકીય રીતે TRB જવાનો પાસે વાહનો રોકવાની કે વાહનો ચેક કરવાની મર્યાદિત સત્તાઓ હોય છે, છતાં અહીં તેઓ ખુલ્લેઆમ વાહનચાલકોને રોકીને લાયસન્સ અને આરસી બુક (RC Book) જેવા દસ્તાવેજો તપાસી રહ્યા છે. આરોપ છે કે કાગળો ચેક કર્યા બાદ વાહનચાલકોને ડરાવી-ધમકાવીને વહીવટ (તોડ) કરવામાં આવી રહ્યો છે. આ આખી પ્રક્રિયા દરમિયાન બીટના પોલીસ ઇન્ચાર્જ સાઇડમાં આરામથી બેસીને આ તમાશો જોઈ રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.બપોરે ૨:૫૦ સુધીમાં ૩૦૦થી વધુ ગાડીઓ રોકાઈઆજે સવારથી લઈને બપોરે ૨:૫૦ વાગ્યા સુધીમાં જ આ આખી બીટ પર અંદાજે ૩૦૦થી વધુ નાની-મોટી ગાડીઓને ઉભી રાખવામાં આવી હતી. આટલી મોટી સંખ્યામાં વાહનો રોકવા પાછળનો હેતુ ટ્રાફિક નિયમન હતું કે કંઈક બીજું તે હવે તપાસનો વિષય બન્યો છે.સૌથી મોટો સવાલ: શું આ દંડ છે કે ભ્રષ્ટાચાર?હવે સ્થાનિકો અને વાહનચાલકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે સવારથી અટકાવેલી આ ૩૦૦થી વધુ ગાડીઓમાંથી કેટલી ગાડીઓને કાયદેસરના સરકારી મેમો (દંડની રસીદ) આપવામાં આવતી નથી? અને કેટલી ગાડીઓ પાસેથી રસીદ વગર જ નાણાં પડાવીને જવા દેવામાં આવી છે?

ડિજિટલ અને ઈ-ચલાણના જમાનામાં પણ આ પ્રકારે રસ્તા પર થતી કથિત તોડબાજી ટ્રાફિક વિભાગની કામગીરી સામે મોટા સવાલો ઉભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે આ મામલે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ કોઈ એક્શન લે છે કે પછી મામલા પર પડદો પાડી દેવાય છે.

 

 

Related Posts

Janmashtami: જગતના નાથનો જન્મોત્સવ: કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્ર પાછળ શું છે રહસ્ય? જાણો પૂજા વિધિ-મંત્રો

‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી…’ આજે દેશભરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. આ દિવસને Janmashtami તરીકે ઉજવવામાં આવે છે. મંદિરોમાં વિશેષ શણગાર, ભજન-કીર્તન, પૂજા અને મધરાત્રિના જન્મોત્સવનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિષ્ણુના આઠમા અવતાર તરીકે માનવામાં આવે છે. તેમની બાળલીલા, ગીતા ઉપદેશ અને ધર્મની સ્થાપનાની કથાઓ ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે. Janmashtamiના દિવસે ભક્તો ઉપવાસ રાખીને મધરાત્રે કાનુડાની પૂજા કરે છે. Janmashtamiની પૂજાનું મુહૂર્ત Janmashtamiની પૂજા માટે મધરાત્રિનો સમય સૌથી વિશેષ માનવામાં આવે છે, કારણ કે ધાર્મિક માન્યતા મુજબ ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મધરાત્રિએ થયો હતો. ઘણા ભક્તો દિવસ દરમિયાન ઉપવાસ રાખે છે અને રાત્રે 12 વાગ્યે…

Dwarka Janmashtami 2026, દ્વારકા જન્માષ્ટમી, Spectacular દ્વારકાધીશ મંદિર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, Janmashtami Celebration Dwarka

Dwarka માં આજે જન્માષ્ટમીનો મહોત્સવ: દ્વારકાધીશના દર્શન માટે ભક્તોનો ઘસારો, મધરાત્રે થશે શ્રીકૃષ્ણ જન્મોત્સવ Dwarka , 4 સપ્ટેમ્બર 2026: ભગવાન શ્રીકૃષ્ણની નગરી Dwarka માં આજે જન્માષ્ટમીના પાવન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. યાત્રાધામ દ્વારકા સ્થિત જગતમંદિર દ્વારકાધીશમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દ્વારકા પહોંચ્યા છે અને સમગ્ર દ્વારકા નગરી ભક્તિના રંગે રંગાઈ છે. 2026માં જન્માષ્ટમીનો મુખ્ય પર્વ શુક્રવાર, 4 સપ્ટેમ્બરે ઉજવાઈ રહ્યો છે. ->દ્વારકાધીશ મંદિરને ભવ્ય શણગાર : જન્માષ્ટમીને લઈને દ્વારકાધીશ મંદિરને રોશની અને ફૂલો સહિતના શણગારથી સજાવવામાં આવ્યું છે. ભગવાન દ્વારકાધીશના વિશેષ શૃંગાર અને દર્શન માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. Dwarka ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલું પવિત્ર યાત્રાધામ છે અને ચાર ધામ પૈકીનું એક માનવામાં આવે…