‘મારા પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા’
ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર રામચરિતમાનસની ચૌપાઈ સાથે પત્ર શેર કર્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું કે 7 જૂન 2026થી મંદિરના દાનપાત્રની ગણતરી દરમિયાન થયેલી કથિત ગેરરીતિને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે અને વ્યક્તિગત રીતે તેમના પર પણ ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. આ કારણસર તેમણે અત્યાર સુધી મૌન રાખ્યું હતું.

SITના અંતિમ રિપોર્ટની રાહ
તેમણે જણાવ્યું કે 6 જુલાઈએ યોજાયેલી ટ્રસ્ટની બેઠકમાં SITનો પ્રારંભિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જે હવે જાહેર થઈ ગયો છે. ચંપત રાયે કહ્યું કે અંતિમ તપાસ અહેવાલ આવ્યા બાદ તેઓ તમામ આરોપોનો ક્રમબદ્ધ રીતે જવાબ આપશે અને સમગ્ર સત્ય લોકો સમક્ષ રજૂ કરશે.
‘મારું જીવન ખુલ્લી કિતાબ જેવું’
પોતાના જાહેર જીવનનો ઉલ્લેખ કરતાં ચંપત રાયે કહ્યું કે તેઓ વર્ષ 1991થી અયોધ્યામાં સેવા આપી રહ્યા છે અને છેલ્લા 45 વર્ષથી પ્રચારક તરીકે કાર્યરત છે. તેમના શબ્દોમાં, તેમનું સમગ્ર જીવન પારદર્શક રહ્યું છે અને તેમની કામગીરી હંમેશા જાહેર રહી છે.
કૃષ્ણ મોહન બન્યા અંતરિમ મહામંત્રી
દાન વિવાદ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાનું રાજીનામું સ્વીકારી લીધું છે. ટ્રસ્ટે હવે કૃષ્ણ મોહનની અંતરિમ જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરી છે. સાથે જ મંદિરના દૈનિક વહીવટ માટે CEOની પસંદગી કરવા ત્રણ સભ્યોની સર્ચ કમિટીની રચના કરવામાં આવી છે.
ટ્રસ્ટે ચંપત રાયનો કર્યો બચાવ
વહીવટી ફેરફારો છતાં ટ્રસ્ટે ચંપત રાયના યોગદાનની પ્રશંસા કરી છે. ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરીએ જણાવ્યું કે તપાસ પારદર્શક રહે અને ટ્રસ્ટની વિશ્વસનીયતા જળવાય તે માટે ચંપત રાયે સ્વેચ્છાએ પદ છોડ્યું છે. ટ્રસ્ટના મત મુજબ તેઓ નિર્દોષ છે અને તેમની સામેના આરોપો સાબિત થયા નથી.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





