આજે વિજય દિવસ, પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મુર્મુએ શહીદોને આપી શ્રદ્ધાંજલી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે ‘વિજય દિવસ’ના અવસર પર 1971ના યુદ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયના નાયકોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસ દર વર્ષે 16 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ભારતીય સેનાની અદમ્ય હિંમત અને શહીદ થયેલા સૈનિકોના બલિદાનને યાદ કરવાનો આ દિવસ છે.

મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કૃતજ્ઞ રાષ્ટ્ર આપણા નાયકોના સર્વોચ્ચ બલિદાનને યાદ કરે છે. તેમની (બહાદુરીની) વાર્તાઓ દરેક ભારતીયને પ્રેરણા આપે છે અને રાષ્ટ્રીય ગૌરવનો સ્ત્રોત બની રહેશે.

જ્યારે મોદીએ ‘X’ પર લખ્યું, “આજે વિજય દિવસ પર, અમે તે બહાદુર સૈનિકોની હિંમત અને બલિદાનનું સન્માન કરીએ છીએ જેમણે 1971માં ભારતની ઐતિહાસિક જીતમાં યોગદાન આપ્યું હતું.” તેમણે કહ્યું કે તેમના નિઃસ્વાર્થ સમર્પણ અને અતૂટ નિશ્ચયે દેશને બચાવ્યો. તેમણે કહ્યું, ‘આ દિવસ તેમની અસાધારણ બહાદુરી અને તેમની અડગ ભાવનાને શ્રદ્ધાંજલિ છે. તેમનું બલિદાન પેઢીઓને હંમેશા પ્રેરણા આપશે અને આપણા દેશના ઈતિહાસમાં ઊંડે સુધી જડિત રહેશે.

આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાની સેનાને કારમી હાર આપી હતી અને તેના 93,000 સૈનિકોને આત્મસમર્પણ કરવાની ફરજ પડી હતી. આ વિજય પછી પૂર્વ પાકિસ્તાન આઝાદ થયું, જે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે.

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *