સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી

બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ફ્લ્ગ કરી હતી.

નવી બસોમાં ૪૭ બેઠક ક્ષમતા છે જેમાં ૨ બાય ૨ ચામડાની આરામદાયક પુશ બેક બેઠકો અને મોબાઇલ ફોન ચાર્જિંગ સુવિધા છે. બસો ૧૩.૫૦ મીટર લાંબી છે. તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરાની તકેદારી, સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે.

હવે સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ), નહેરુનગરથી સુરત અને સુરતથી રાજકોટ સુધીની બસો ચાલુ છે.

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *