અમિત શાહનો BSFને કડક સંદેશ: “માત્ર બોર્ડર નહીં, 50 કિમી સુધીની સુરક્ષા આપણી જવાબદારી”

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એ રાજસ્થાનના બિકાનેર સરહદી વિસ્તારોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે સંવાદ કર્યો અને સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સૂચનાઓ આપી.

“50 કિલોમીટર સુધીની હરકતો પર નજર રાખવી જરૂરી”
બિકાનેરના સાંચુ પોસ્ટ ખાતે યોજાયેલા ‘પ્રહરી સંમેલન’માં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે હવે BSFએ માત્ર સરહદની જ નહીં પરંતુ સરહદથી 50 કિલોમીટર સુધીના વિસ્તારોમાં થતી શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર પણ નજર રાખવી પડશે. તેમણે જણાવ્યું કે જો કોઈ વિસ્તારમાં અસામાન્ય વસ્તી વધારો, ગેરકાયદે બાંધકામ અથવા શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળે તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને પોલીસને કરવી જરૂરી છે.

ડ્રોન મારફતે થતી તસ્કરીને ગણાવ્યો મોટો ખતરો
અમિત શાહે સરહદ પારથી ડ્રોન મારફતે થતી હથિયારો અને નશીલા પદાર્થોની તસ્કરીને ગંભીર પડકાર ગણાવ્યો. તેમણે કહ્યું કે આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો બની રહી છે. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં સરહદી વિસ્તારોમાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની પ્રક્રિયા શરૂ કરશે, જેથી ડ્રોન દ્વારા થતી ઘૂસણખોરી અને તસ્કરીને રોકી શકાય.

“ડ્રોન ક્યાં ઉતરે છે તેની સંપૂર્ણ દેખરેખ રાખો”
ગૃહમંત્રીએ BSF જવાનોને સૂચના આપી કે ડ્રોન ક્યાં ઉતરે છે, તેને કોણ સ્વીકારે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની સતત મોનિટરિંગ રાખવી જરૂરી છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજીના વધતા ઉપયોગને ધ્યાનમાં રાખીને સુરક્ષા દળોએ પણ આધુનિક પદ્ધતિઓ અપનાવવી પડશે.

ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ બનાવાશે
અમિત શાહે જણાવ્યું કે સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ તૈયાર કરવામાં આવશે. જેમાં BSF, ભારતીય સેના, સ્થાનિક, નાગરિકો, રાજ્ય સરકાર મળીને કામ કરશે. તેમણે કહ્યું કે સરકારનું લક્ષ્ય એવું મજબૂત સુરક્ષા તંત્ર ઉભું કરવાનો છે કે દુશ્મન ભારત પર હુમલો કરવાની હિંમત પણ ન કરી શકે.

“2014 પછી સુરક્ષા નીતિમાં મોટો બદલાવ આવ્યો”
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે વર્ષ 2014 બાદ દેશની સુરક્ષા નીતિમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોનું આધુનિકીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને સરહદોની સુરક્ષા માટે નવી ટેક્નોલોજીનો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે.

 

 

  • Related Posts

    બાંકે બિહારી મંદિર વિવાદમાં SCનો મોટો નિર્ણય, હવે લોકશાહી પદ્ધતિથી પસંદ થશે પ્રતિનિધિઓ

    ભારતની સર્વોચ્ચ અદાલતએ બાંકે બિહારી મંદિરના સંચાલન અને પરંપરાઓને લઈને ચાલી રહેલા વિવાદમાં મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે હાઈ પાવર કમિટીમાં ગોસ્વામી સમાજના પ્રતિનિધિઓની પસંદગીમાં અધિકારીઓની મનમાની પર રોક લગાવી…

    ઘૂસણખોરી મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ, હાઇ લેવલ કમિટીની રચના; અમિત શાહે આપી માહિતી

    દેશમાં વધી રહેલા અસામાન્ય વસ્તી પરિવર્તન અને ઘૂસણખોરીના મુદ્દે કેન્દ્ર સરકાર એલર્ટ થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતા જણાવ્યું કે કેન્દ્ર…