PM કિસાનના લાભાર્થીઓ માટે મોટું અપડેટ, e-KYC નહીં કરાવશો તો બંધ થઈ શકે ₹2,000નો હપ્તો

કેન્દ્ર સરકાર દ્વારા PM-KISAN Scheme હેઠળ નોંધાયેલા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો મેળવવા માટે તમામ લાભાર્થીઓએ દર વર્ષે ફરજિયાત e-KYC કરાવવું પડશે. સરકારના નવા નિયમો મુજબ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન વગર લાભાર્થીઓને આગામી હપ્તાની રકમ આપવામાં આવશે નહીં.

30 જૂન 2026 સુધીમાં e-KYC ફરજિયાત
ખેતી નિયામક કચેરી દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2026-27 માટેની વાર્ષિક e-KYC પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના તમામ નોંધાયેલા ખેડૂતોએ 30 જૂન, 2026 સુધીમાં e-KYC પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. જો નક્કી કરેલી સમયમર્યાદા સુધી e-KYC પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને મળતો ₹2,000નો હપ્તો અટકી શકે છે.

e-KYC કરવાની 3 સરળ પદ્ધતિઓ
1. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા
ખેડૂતો ગ્રામસેવક અથવા વિલેજ નોડલ ઓફિસરનો સંપર્ક કરીને PM Kisan Mobile App મારફતે ફેસ ઓથેન્ટિકેશન કરાવી શકે છે.

2. બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન
નજીકના CSC સેન્ટર અથવા ઈ-ગ્રામ કેન્દ્ર પર જઈ બાયોમેટ્રિક આધારિત e-KYC કરાવી શકાય છે.

3. મોબાઈલ એપથી સ્વયં e-KYC
લાભાર્થી પોતે પણ PM કિસાન મોબાઈલ એપમાં ‘Beneficiary’ તરીકે લોગિન કરીને આધાર નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દ્વારા ફેસ ઓથેન્ટિકેશન કરી શકે છે. સરકારના જણાવ્યા મુજબ એક લાભાર્થી પોતાના ઉપરાંત અન્ય 100 લાભાર્થીઓનું પણ e-KYC કરવામાં મદદ કરી શકે છે.

બહારગામ રહેલા ખેડૂતો માટે પણ સુવિધા
જે લાભાર્થીઓ બહારગામ રહેતા હોય અથવા અન્ય સ્થળે સ્થળાંતરિત થયા હોય તેઓ પણ ઓનલાઈન અથવા નજીકના કેન્દ્ર પર જઈ સરળતાથી e-KYC પૂર્ણ કરી શકે છે. ખેતી નિયામક કચેરીએ તમામ ખેડૂતોને સમયમર્યાદા પહેલા પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરી છે જેથી યોજનાનો લાભ સતત મળતો રહે.

 

 

  • Related Posts

    Asian Weightlifting Championships 2026: જ્ઞાનેશ્વરી યાદવે ભારતને અપાવ્યા સિલ્વર અને બ્રોન્ઝ મેડલ, જાણો પૂરી વિગત

    ગુજરાતની ધરતી પર રમાઈ રહેલી Asian Senior Weightlifting Championships 2026 માં ભારતીય ખેલાડીઓ પોતાનો દબદબો જાળવી રહ્યા છે. સ્પર્ધાના ત્રીજા દિવસે ભારતની સ્ટાર વેઈટલિફ્ટર જ્ઞાનેશ્વરી યાદવે (Gyaneshwari Yadav) શાનદાર પ્રદર્શન…

    #Transfer/ 72 IAS ની બદલી, હજુ અનેક ઉચ્ચ સનદી અધિકારીઓની બદલીની શક્યતા

    સમય આમુલ પરિવર્તન પાર દર્શક વહીવટનો પાયો કહેવામાં આવે છે. પરિવર્તન સંસારનો નિયમ છે તેવું ગીતામાં કહેવાયુ છે, હા પરિવર્તન અનેક પ્રકારનાં હોય છે જ્યારે વાત વહીવટી તંત્રની હોય. સજા, સરાહના, સંભાવના, સમર્થતા વિગેરે વિગેરે પણ હાલ વાત પરિવર્તન એટલે કે બદલીની છે તો તેના જ ગીત ગાઇ શકાય.