નેપાળએ કૈલાશ માનસરોવર યાત્રા માટે ઉપયોગમાં લેવાતા લિપુલેખ પાસ મુદ્દે ભારત અને ચીન સામે સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે. નેપાળ સરકારનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના બંધારણીય નકશાનો અભિન્ન ભાગ છે.
વિદેશ મંત્રાલયનો કડક વિરોધ
નેપાળના વિદેશ મંત્રાલયે બંને દેશોને મોકલેલા પત્રમાં કૈલાશ માનસરોવર યાત્રાના નવા રૂટ અંગે વાંધો ઉઠાવ્યો છે. સરકારના પ્રવક્તા લોક બહાદુર પૌડિયાલ છેત્રીએ જણાવ્યું કે આ વિસ્તારમાં કોઈ પણ ત્રીજા પક્ષની પ્રવૃત્તિ નેપાળ માટે સ્વીકાર્ય નથી.
સર્વપક્ષીય સંમતિથી નિર્ણય
વિદેશ મંત્રી શિશિર ખાનલએ સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય દેશના તમામ મુખ્ય રાજકીય પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવ્યો છે. 2020માં બહાર પાડવામાં આવેલા નવા નકશામાં નેપાળે આ વિસ્તારોને પોતાના ભાગ તરીકે દર્શાવ્યા છે, જેને ભારત સ્વીકારતું નથી.
વ્યૂહાત્મક અને ધાર્મિક મહત્વ
કૈલાસ માનસરોવર યાત્રા માટે લિપુલેખ પાસ ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ માર્ગ દ્વારા શ્રદ્ધાળુઓને તિબેટમાં સ્થિત પવિત્ર સ્થળે પહોંચવામાં સરળતા રહે છે. ભારત સરકારે આ માર્ગ પર ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટે અનેક પગલાં લીધા છે.
ત્રિપક્ષીય સમીકરણમાં નેપાળની માંગ
નેપાળે ચાઈના સાથે પણ આ મુદ્દે ચર્ચા કરી છે અને માંગ કરી છે કે કોઈપણ ત્રિપક્ષીય વ્યવસ્થામાં તેને સામેલ કરવામાં આવે. વધતા રાષ્ટ્રવાદ અને કડક વલણને કારણે આ મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
- Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





