ઉનાળાની ઋતુમાં વધતી મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ દેશભરમાં મોટી જાહેરાત કરી છે. આગામી ત્રણ મહિના દરમિયાન કુલ 18,262 સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે, જેનાથી મુસાફરોને લાંબી વેટિંગ લિસ્ટમાંથી રાહત મળશે.
રેલવેના જણાવ્યા મુજબ, આમાંથી 11,294 ટ્રેનો માટે પહેલેથી જ સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ પગલાંથી મુસાફરોને અગાઉથી જ તેમના પ્રવાસનું આયોજન કરવાની સુવિધા મળશે અને ટિકિટ મેળવવાની પ્રક્રિયા સરળ બનશે. ઝોન મુજબ ટ્રેનોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ રેલ્વેમાં સૌથી વધુ 3,082 ટ્રેનો દોડશે, જ્યારે પૂર્વ મધ્ય રેલ્વેમાં 2,711 અને ઉત્તર પશ્ચિમ રેલ્વેમાં 2,245 ટ્રેનો દોડાવવામાં આવશે.
રેલવેનો મુખ્ય હેતુ મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવાનો છે. ખાસ કરીને ઉનાળાની રજાઓ દરમિયાન ટ્રેનોમાં ભારે દબાણ રહે છે, જેના કારણે વેટિંગ લિસ્ટ લાંબી થઈ જાય છે. આ વધારાની ટ્રેનો દ્વારા લાખો મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળવાની શક્યતા વધી જશે.
રેલવે અધિકારીઓએ જણાવ્યું કે આ ખાસ ટ્રેનો માત્ર વેટિંગ લિસ્ટ ઘટાડવામાં જ મદદરૂપ નહીં બને, પરંતુ મુસાફરીને વધુ આરામદાયક અને સરળ બનાવશે. સાથે જ, વ્યસ્ત રૂટ પર દબાણ ઓછું થવાથી નિયમિત ટ્રેનો પણ વધુ કાર્યક્ષમ રીતે દોડાવી શકાશે. ઉલ્લેખનીય છે કે ઉનાળાની રજાઓ શરૂ થવાના કારણે મુસાફરોની સંખ્યા વધવાની આશંકા છે. આવા સમયમાં રેલવેનો આ નિર્ણય મુસાફરો માટે મોટી રાહતરૂપ સાબિત થશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





