ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28 એપ્રિલે પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણીને લઈને ખાસ કરીને અમદાવાદમાં વહીવટી તંત્ર અને રાજકીય પક્ષોમાં ભારે દોડધામ જોવા મળી રહી છે. ત્યારે ભારતીય જાણતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

અમદાવાદમાં ત્રિપાંખિયો જંગ
આ વખતે અમદાવાદમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થતી સીધી ટક્કર હવે ત્રિપાંખિયું સ્વરૂપ ધારણ કરી રહી છે. આમ આદમી પાર્ટી (AAP) પણ આ વખતે પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ત્રણેય પક્ષો મજબૂત ઉમેદવારોને ઉતારતા હોવાથી આ ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળે તેવી શક્યતા છે. ખાસ કરીને અમદાવાદ જિલ્લા પંચાયતની બેઠકો પર જોરદાર સ્પર્ધા થવાની આશા છે.

ચૂંટણી પંચની તૈયારીઓ તેજ
ચૂંટણીને લઈને અમદાવાદમાં ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ ગતિએ શરૂ કરી છે. ઉમેદવારો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. કલેક્ટર કચેરી ઉપરાંત વિવિધ પ્રાંત કચેરીઓએ ઉમેદવારોની ભીડ જોવા મળી રહી છે. વહીવટી સરળતા માટે એક જ બૂથમાં ત્રણથી ચાર વોર્ડના ઉમેદવારો ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પ્રક્રિયા ઝડપી અને સરળ બને.

રાજકીય માહોલ ગરમાયો
ચૂંટણી નજીક આવતાં જ શહેરમાં રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની ગઈ છે. પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી, પ્રચાર અને મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ બન્યા છે. આ વખતે ત્રિપાંખિયા જંગને કારણે ચૂંટણીનું પરિણામ વધુ રસપ્રદ બનવાની સંભાવના છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…