મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ મહેન્દ્રનગરના વોર્ડ નંબર 4 ખાતે આગેવાનને મળવા ગયા હતા અને ત્યાં અચાનક હાર્ટ એટેક થતાં સારવાર માટે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું નિધન થઈ ગયું. કિશોરભાઈનું પાર્થિવ દેહ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે, જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો શોક વ્યક્ત કરવા માટે હાજર થયા છે.

કિશોરભાઈ ચીખલિયા તેમના મિલનસાર સ્વભાવ અને લડાકુ નેતા તરીકે જાણીતા હતા. તેમના અચાનક નિધનથી ચીખલિયા પરિવાર અને મોરબી જિલ્લામાં કોંગ્રેસ કાર્યકરોમાં શોક છવાયો છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

    ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…

    NEET-UG 2026: પરીક્ષાની પવિત્રતા જાળવવા ભારત સરકારનો મોટો નિર્ણય, ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ.

    નવી દિલ્હી: આગામી ૨૧ જૂન, ૨૦૨૬ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષા પહેલાં ભારત સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા અને પેપર લીક…