B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 : ખેડૂત દેશની આર્થિક રીડ છે-ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલે

B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026 :કૃષિ ક્ષેત્રમાં અનોખું યોગદાન આપનાર ખેડૂતોને સન્માનિત કરવા માટે યોજાયેલા ભવ્ય સમારોહમાં ગુજકોમાસોલના વાઇસ ચેરમેન તથા ક્રિભકોના (Krishak Bharati Cooperative Limited) ડાયરેક્ટર બિપીન પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના આગમનથી સમગ્ર કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું.

કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી, જે ભારતની પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ શુભ પ્રસંગે  B INDIAની ટીમનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો, જેમણે આ આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.


સમારોહમાં ઉપસ્થિત ખેડૂતોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. દરેક ખેડૂતએ પોતાની ખુશી વ્યક્ત કરી અને આ પ્રકારના સન્માનથી પ્રેરણા મળતી હોવાનું જણાવ્યું.

આ કાર્યક્રમ માત્ર સન્માન પૂરતો નહોતો, પરંતુ કૃષિ ક્ષેત્રે ખેડૂતોએ કરેલી મહેનત, નવી ટેક્નોલોજી અપનાવવાની તત્પરતા અને દેશના આર્થિક વિકાસમાં આપેલા યોગદાનને ઉજાગર કરવાનો એક પ્રયત્ન હતો.

બિપીન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “ખેડૂત દેશની આર્થિક રીડ છે. તેમની મહેનત અને સમર્પણના કારણે જ દેશ આત્મનિર્ભર બની રહ્યો છે.” તેમણે ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને પાણી સંરક્ષણ તરફ વધુ ધ્યાન આપવા પ્રોત્સાહિત કર્યા. આવો સમારોહ ખેડૂતો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યો છે અને ભવિષ્યમાં વધુ ઉત્તમ કાર્ય કરવા માટે તેમને પ્રોત્સાહન આપે છે.

Follow us On Social Media

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…