યુદ્ધ વચ્ચે ભારત માટે રાહત: હોર્મુઝમાંથી LPG ભરેલા બે જહાજો ભારત તરફ રવાના

પર્શિયન ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ હોર્મુઝમાંથી એલપીજી (LPG) ભરેલા બે જહાજો ભારત તરફ આવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા સપ્લાય અંગે ચિંતા ઉભી થઈ હતી, પરંતુ આ વિકાસ ભારત માટે સકારાત્મક માનવામાં આવી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર ઈરાન તરફથી મંજૂરી મળ્યા બાદ હોર્મુઝના માર્ગથી LPG ભરેલા બે જહાજોને ભારત આવવાની મંજૂરી આપવામાં આવી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે સપ્લાય ચેઇન પર અસર પડવાની ભીતિ વચ્ચે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ પહેલા ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહાલીએ ભારત અને ઈરાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત ઈરાનનો નજીકનો મિત્ર દેશ છે અને હોર્મુઝના દરિયાઈ માર્ગ પરથી ભારતીય જહાજોની સુરક્ષિત અવરજવર અંગે સકારાત્મક સંકેતો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે બંને દેશો વચ્ચે લાંબા સમયથી વિશ્વાસ અને સહકારનો સંબંધ રહ્યો છે. ભારત અને ઈરાન ઘણા પ્રાદેશિક હિતોમાં એકબીજાના સહયોગી રહ્યા છે અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી પણ મજબૂત રહી છે.

મુશ્કેલ સમયમાં ભારતે ઈરાનને આપેલા સહયોગનો પણ રાજદૂતે ઉલ્લેખ કર્યો હતો. તેમના મુજબ યુદ્ધ પછીની પરિસ્થિતિમાં પણ બંને દેશો વચ્ચે સહયોગ યથાવત્ રહ્યો છે, જે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવે છે.

હોર્મુઝની ખાડી ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે દેશના કાચા તેલ અને ઊર્જા આયાતનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગથી આવે છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાન દ્વારા આપવામાં આવેલી આ મંજૂરી ભારતની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

દિલજીત દોસાંજનો કેનેડામાં દબદબો: ખાલિસ્તાની ઝંડા લહેરાવનારાઓને સ્ટેજ પરથી ચેતવણી

કેનેડામાં લાઈવ કોન્સર્ટ દરમિયાન પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ખાલિસ્તાની સમર્થનમાં સૂત્રોચ્ચાર કરનારા કેટલાક લોકો સામે કડક વલણ અપનાવીને ચર્ચાનો વિષય બની ગયો છે. કોન્સર્ટ દરમિયાન બનેલી આ ઘટના હવે સોશિયલ…

લેન્ડિંગ સમયે ઈમરજન્સી ગેટ ખોલીને મુસાફરે લગાવી છલાંગ, Chennai International Airport પર હાઈ એલર્ટ

રવિવારની વહેલી સવારે ચેન્નાઇના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચોંકાવનારી ઘટના સામે આવી છે. શારજાહથી આવેલી Air Arabiaની ફ્લાઇટમાં એક મુસાફરે લેન્ડિંગ બાદ ઈમરજન્સી ગેટ ખોલીને વિમાનમાંથી કૂદી પડતા હાહાકાર મચી ગયો…