રાંચી-દિલ્હી ઉડાન ભરતું ખાનગી એર એમ્બ્યુલન્સ વિમાન ક્રેશ: જંગલમાંથી કાટમાળ મળતા તંત્ર સક્રિય

ઝારખંડમાં રાંચીથી દિલ્હી માટે ઉડાન ભરતું ખાનગી ચાર્ટર એર એમ્બ્યુલન્સ વિમાન ગાયબ થયું હોવાના સમાચાર આવ્યા છે. વિમાનમાં કુલ ૭ લોકો સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર, વિમાન રાંચીના બિરસા મુન્ડા એરપોર્ટ પરથી રવાના થયા પછી થોડા જ સમયમાં એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સાથેનો સંપર્ક તૂટી ગયો.

ઉડાન અને અંતિમ સંપર્ક
– વિમાન VT-AJV રાંચી એરપોર્ટ પરથી સાંજે 07:11 વાગ્યે ઉડાન ભર્યું.
– છેલ્લો સંપર્ક સાંજે 07:34 વાગ્યે અટાલી વિસ્તાર પાસે થયો.
– પાયલોટની છેલ્લી વાતચીત કોલકાતા ATC (VHF 132.25 MHz) સાથે થઈ, ત્યારબાદ કોઈ સંપર્ક ન રહ્યો.

જંગલમાંથી કાટમાળ મળ્યો
– રાત્રે 08:05 વાગ્યે રેસ્ક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર (RCC) સક્રિય.
– સિમરિયાના જંગલ વિસ્તારમાં વિમાનના એન્જિન અને પ્રોપેલર જેવા ભાગો મળ્યા.
-સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું, પરંતુ જંગલ હોવાને કારણે સર્ચ ઓપરેશન મુશ્કેલ.

DGCAની કાર્યવાહી
– ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અનુસાર વિમાન રડાર પરથી ગાયબ થયું.
– રાજ્ય સરકારને જાણ કરવામાં આવી અને SOP મુજબ તપાસ ચાલુ.
– વિમાનમાં સવાર મુસાફરોની સ્થિતિ અને દુર્ઘટનાના ચોક્કસ કારણો શોધવા માટે સક્રિય દેખરેખ.
-તંત્ર સત્વરે ઘટનાના સંપૂર્ણ તારણ માટે કાર્યરત છે, અને વિમાનના તમામ વિભાગોનું રિકવર કરવાનું કામ ચાલુ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

મહાકાલેશ્વર મંદિરમાં સંધ્યા-શયન આરતી માટે ₹250 ફી: ભક્તોમાં રોષ, રાજકારણ ગરમાયું

વિશ્વપ્રસિદ્ધ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના એક એવા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં હવે સંધ્યા અને શયન આરતીમાં ભાગ લેવા માટે પ્રતિ વ્યક્તિ ₹250નું શુલ્ક અને ફરજિયાત ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા અમલમાં મૂકાતા ભક્તોમાં ભારે…

આગામી 3 કલાકમાં 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી, તાપમાનમાં 2–3 ડિગ્રી ઘટાડાની શક્યતા

રાજ્યમાં માવઠાના માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 13 જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આગામી 24 કલાક દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં 2 થી…