અમદાવાદ : મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા યલો ફીવરની રસી માટે બે નવા સેન્ટર શરૂ

આફ્રિકા પ્રવાસે જવા ઇચ્છુક નાગરિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. Ahmedabad Municipal Corporation (AMC) દ્વારા યલો ફીવરની રસીકરણ સુવિધા વિસ્તૃત કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી આ રસી માત્ર આરોગ્ય ભવન ખાતે ઉપલબ્ધ હતી, પરંતુ હવે શહેરના પશ્ચિમ અને પૂર્વ ઝોનમાં બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

9,900થી વધુ લોકોને અપાઈ રસી
AMCના અધિકારીઓના જણાવ્યા મુજબ યલો ફીવરની રસી ખાસ કરીને આફ્રિકા પ્રવાસે જતાં નાગરિકો માટે જરૂરી ગણાય છે, કારણ કે આ રોગનો પ્રકોપ મુખ્યત્વે આફ્રિકા ખંડમાં જોવા મળે છે. ગયા વર્ષ દરમિયાન અંદાજે 9,900 જેટલા લોકોને યલો ફીવરની રસી આપવામાં આવી હતી. આ રસી એક જ ડોઝમાં લેવાય છે અને લાંબા ગાળાનું રક્ષણ પૂરું પાડે છે.

રસીની કિંમત કેટલી?
યલો ફીવરની રસીની કિંમત અંદાજે રૂપિયા 1,000થી 1,200ની આસપાસ છે. શહેરમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા આ બે નવા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને વધુ સુવિધા અને ઝડપી સેવા મળી રહે.
AMCનું કહેવું છે કે નાગરિકોના આરોગ્ય સુરક્ષા સાથે તેઓના વિદેશ પ્રવાસને સુરક્ષિત બનાવવું તેમનો મુખ્ય ઉદ્દેશ છે. નવા સેન્ટરો શરૂ થતા હવે યલો ફીવરની રસી મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને સુલભ બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…