Budget 2026: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાણો બજેટમાં શું કરવામાં આવી જોગવાઈ

બજેટમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે જાહેરાત કરતાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઇએ કહ્યું કે, સમાજના જરૂરિયાતમંદ વર્ગને સામાજિક સુરક્ષા પૂરી પાડી સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવોએ અમારી સરકારની પ્રાથમિકતા છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ, પાત્રતા ધરાવતી તમામ વ્યક્તિઓને સરળતાથી પહોંચાડવા અમે પ્રતિબદ્ધ છીએ.

પી.એમ.યશસ્વી પ્રિ-મેટ્રીક અને પોસ્ટ-મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના હેઠળ વિકસતી જાતિના અંદાજે 9 લાખ 75 હજાર વિદ્યાર્થીઓ માટે ₹630 કરોડની જોગવાઇ. પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અને વિકસતી જાતિના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને ગણવેશ સહાય આપવા ₹617 કરોડની જોગવાઇ.અનુસૂચિત જાતિના આશરે 1 લાખ 45 હજાર વિદ્યાર્થીઓ માટેની પોસ્ટ મેટ્રીક શિષ્‍યવૃત્તિ યોજના માટે ₹296 કરોડની જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે .

વિદેશ અભ્યાસ લોન યોજના અંતર્ગત વિદેશમાં ચાલતા ઉચ્‍ચ અભ્યાસ અર્થે 4 ટકાના દરે વ્યક્તિદીઠ ₹15 લાખ સુધીની લોન આપવા ₹135 કરોડની જોગવાઇ. સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ-9માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગની 1 લાખ 59 હજાર વિદ્યાર્થિનીઓને વિનામૂલ્યે સાયકલ આપવા ₹73 કરોડની જોગવાઇ.ધોરણ 9 અને 10માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના અંદાજે 1 લાખ 70 હજાર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹24 કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ માટેની આદર્શ નિવાસી શાળાઓ પૈકી 5 શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલુ કરવા તથા અત્યાધુનિક લેબોરેટરી સ્થાપવામાં આવશે. દિવ્યાંગજનો માટેની સંત સુરદાસ યોજના તેમજ વિવિધ આર્થિક સહાય યોજના હેઠળ કુલ ₹249 કરોડની જોગવાઇ.નિરાધાર બાળકો માટેની પાલક માતા-પિતા યોજના હેઠળ ₹83 કરોડની જોગવાઇ. દિવ્યાંગજનોને મોટરાઇઝડ ટ્રાયસિકલ તથા જોયસ્ટિક વ્હીલચેર આપવા ₹60 કરોડની જોગવાઇ. રાજ્યના 34 જિલ્લાઓમાં નશામુક્તિ સેન્‍ટર અને રાજ્ય કક્ષાએ સ્ટેટ સેલ સ્થાપવા ₹15 કરોડની જોગવાઇ.બૌદ્ધિક અસમર્થતા, ઓટીઝમ દિવ્યાંગતા ક્ષેત્રે ડે-કેર તથા રહેણાકની સુવિધા સાથે શૈક્ષણિક સંસ્થાઓ શરૂ કરવા માટે ₹6 કરોડની જોગવાઇ.

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ માટે જાણો જોગવાઈ
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓ નિગમો હેઠળ ચાલતી શૈક્ષણિક લોન તથા સ્વરોજગારલક્ષી લોન યોજનાના તથા દિવ્યાંગજનો માટે ચાલતી સ્વરોજગાર યોજનાના કુલ 19 હજાર લાભાર્થીઓ માટે ₹793 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના લાભાર્થીઓને બેન્‍ક મારફતે વાહન, સ્વરોજગારી તેમજ ઉચ્ચ અભ્યાસ માટે લીધેલ લોન પર 6 ટકા સબસિડી આપવા ₹25 કરોડની જોગવાઇ. આવાસ યોજનાઓ હેઠળ અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગો તથા વિચરતી-વિમુક્ત જાતિઓના અંદાજિત 24 હજારથી વધુ લાભાર્થીઓને મકાન સહાય માટે ₹375 કરોડની જોગવાઇ. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના આશરે 53 હજાર લાભાર્થીઓને મળતી મફત (પોષણ) તબીબી સહાય યોજના અંતર્ગત ₹143 કરોડની જોગવાઇ.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

હવાઈ મુસાફરી મોંઘી બનશે: એરલાઈન્સે ફ્યુઅલ સરચાર્જમાં કર્યો મોટો વધારો

મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈઝરાયલ–ઈરાન સંઘર્ષના કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારો થયો છે. તેની સીધી અસર એવિએશન સેક્ટર પર પડી રહી છે, જેના કારણે હવે હવાઈ…