સરકારી કાર્યક્રમોમાં ‘વંદે માતરમ’ ગાવું અને વગાડવું ફરજીયાત, નવો પ્રોટોકોલ જાહેર

વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત રહેશે. સત્તાવાર સંસ્કરણના ગાનનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે.

કયા પ્રસંગો પર ફરજીયાત રહેશે?
– રાષ્ટ્રપતિ અને રાજયપાલ/લેફટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન
– નાગરિક શપથ સમારોહ અને પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ
– રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી
– ત્રિરંગા લહેરાવતી પરેડ દરમિયાન

જો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે, તો પહેલા ‘વંદે માતરમ’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ વગાડવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાને ઊભા રહેવું ફરજીયાત રહેશે. જો કે સિનેમા હોલ અથવા દસ્તાવેજી/ન્યુઝરીલના પ્રસારણ દરમિયાન આ નિયમ લાગુ નહીં થાય.

શાળાઓ માટે માર્ગદર્શિકા
શાળાઓ દિવસની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ સાથે સાથે સામૂહિક રીતે ‘વંદે માતરમ’ ગાવી શકે છે. આનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય પ્રતીકો માટે આદર જગાડવાનો છે.

આદેશના મુખ્ય મુદ્દા
– વંદે માતરમના સંપૂર્ણ છ શ્લોક વગાડવામાં આવશે, જેમાંથી પહેલા ચાર શ્લોક ૧૯૩૭માં કોંગ્રેસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
– સત્તાવાર કાર્યક્રમોમાં ગીત ગાવું અથવા વગાડવું ફરજીયાત રહેશે.
– રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને આ નવો પ્રોટોકોલ લાગુ પડશે.

ઇતિહાસ
બંકિમચંદ્ર ચેટર્જીએ 1875 માં ‘વંદે માતરમ’ રચ્યું હતું, જે 1882 માં તેમની નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત થયું હતું. ગીતના છ શ્લોકોમાં ભારતને માતા રૂપે દર્શાવ્યું છે અને દુર્ગા, કમલા (લક્ષ્મી) અને સરસ્વતી જેવા હિન્દુ દેવીઓનો ઉલ્લેખ છે.

સરકારનો ઉદ્દેશ
કેન્દ્ર સરકારે વંદે માતરમને લોકપ્રિય બનાવવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં, રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી અને પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ “વંદે માતરમ – સ્વતંત્રતાનો મંત્ર” તરીકે નિર્ધારિત કરી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

અમદાવાદમાં જીમમાં SMCની રેડ બાદ PI અને PSI સસ્પેન્ડ જાણો સમગ્ર જાણકારી… Major Breakthrough, 26

અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ મોટી કાર્યવાહી: PI અને PSI સસ્પેન્ડ, 187 જુગારીઓ ઝડપાયા  અમદાવાદના મનપસંદ જીમખાનામાં SMCની રેડ બાદ પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દરિયાપુર પોલીસ સ્ટેશનના PI અને સર્વેલન્સ સ્ક્વોડના PSIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મનપસંદ જીમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીએ પોલીસ વિભાગમાં ખળભળાટ મચાવ્યો છે. મનપસંદ જીમખાનામાં ચાલતા જુગારના અડ્ડા પર SMCની રેડ દરમિયાન 187 જેટલા જુગારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસની કામગીરી અને સ્થાનિક સ્તરે ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે અનેક સવાલો ઉઠ્યા છે.મામલો ગંભીર બનતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરીને દરિયાપુર પોલીસ સ્ટેશનના PI તેમજ સર્વેલન્સ સ્ક્વોડના PSI સામે સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. SMCની રેડથી પોલીસ…

New Tourism Era In Gujarat Maritime Wonders 2026: રાજ્યના ૧૭ લાઇટહાઉસ હવે બનશે ટૂરિસ્ટ હોટસ્પોટ

Gujarat Maritime Tourism: રાજ્યના 17 લાઇટહાઉસ આધુનિક સુવિધાઓ સાથે બન્યા પ્રવાસન કેન્દ્રો ગુજરાતમાં મેરિટાઈમ Tourismને વેગ આપવા 17 લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. દ્વારકા, માંડવી, ગોપનાથ, વેરાવળ અને હજીરા સહિતના લાઇટહાઉસમાં કેફેટેરિયા, બગીચા, એમ્ફિથિએટર અને લાઇટ એન્ડ સાઉન્ડ શો જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ગાંધીનગર, 14 ઓગસ્ટ 2026: ગુજરાતના લાંબા દરિયાકિનારા અને સમૃદ્ધ દરિયાઈ વારસાને પ્રવાસન સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં મેરિટાઈમ Tourismને નવી ઊંચાઈ આપવાના હેતુથી કુલ 17 ઐતિહાસિક લાઇટહાઉસને આધુનિક પ્રવાસન સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. હવે જહાજોને દરિયાઈ માર્ગદર્શન આપતી આ દીવાદાંડીઓ માત્ર નેવિગેશન માટે જ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા દેશના…