વંદે માતરમની રચનાની ૧૫૦મી વર્ષગાંઠને નિમિત્તે કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ નવી ગાઇડલાઇન મુજબ, વંદે માતરમના છ શ્લોકનું ગાન અથવા વગાડવું હવે તમામ ખાસ સરકારી કાર્યક્રમોમાં ફરજીયાત રહેશે. સત્તાવાર સંસ્કરણના ગાનનો સમયગાળો ૩ મિનિટ ૧૦ સેકન્ડનો રહેશે.
કયા પ્રસંગો પર ફરજીયાત રહેશે?
– રાષ્ટ્રપતિ અને રાજયપાલ/લેફટનન્ટ ગવર્નરના આગમન અને પ્રસ્થાન
– નાગરિક શપથ સમારોહ અને પદ્મ પુરસ્કાર જેવા નાગરિક સન્માન સમારોહ
– રાષ્ટ્રને સંબોધન પહેલા અને પછી
– ત્રિરંગા લહેરાવતી પરેડ દરમિયાન
જો વંદે માતરમ અને રાષ્ટ્રગીત ‘જન ગણ મન’ બંને રજૂ કરવામાં આવે, તો પહેલા ‘વંદે માતરમ’ અને ત્યારબાદ ‘જન ગણ મન’ વગાડવામાં આવશે. આ દરમિયાન ઉપસ્થિત દરેક વ્યક્તિએ ધ્યાને ઊભા રહેવું ફરજીયાત રહેશે. જો કે સિનેમા હોલ અથવા દસ્તાવેજી/ન્યુઝરીલના પ્રસારણ દરમિયાન આ નિયમ લાગુ નહીં થાય.
શાળાઓ માટે માર્ગદર્શિકા
શાળાઓ દિવસની શરૂઆત રાષ્ટ્રીય ગીત ‘જન ગણ મન’ સાથે સાથે સામૂહિક રીતે ‘વંદે માતરમ’ ગાવી શકે છે. આનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રીય પ્રતીકો માટે આદર જગાડવાનો છે.
આદેશના મુખ્ય મુદ્દા
– વંદે માતરમના સંપૂર્ણ છ શ્લોક વગાડવામાં આવશે, જેમાંથી પહેલા ચાર શ્લોક ૧૯૩૭માં કોંગ્રેસ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
– સત્તાવાર કાર્યક્રમોમાં ગીત ગાવું અથવા વગાડવું ફરજીયાત રહેશે.
– રાજય અને કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયો અને બંધારણીય સંસ્થાઓને આ નવો પ્રોટોકોલ લાગુ પડશે.
ઇતિહાસ
બંકિમચંદ્ર ચેટર્જીએ 1875 માં ‘વંદે માતરમ’ રચ્યું હતું, જે 1882 માં તેમની નવલકથા ‘આનંદમઠ’માં પ્રકાશિત થયું હતું. ગીતના છ શ્લોકોમાં ભારતને માતા રૂપે દર્શાવ્યું છે અને દુર્ગા, કમલા (લક્ષ્મી) અને સરસ્વતી જેવા હિન્દુ દેવીઓનો ઉલ્લેખ છે.
સરકારનો ઉદ્દેશ
કેન્દ્ર સરકારે વંદે માતરમને લોકપ્રિય બનાવવા પર ભાર મૂક્યો છે. તાજેતરમાં, રાષ્ટ્રીય ગીતની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે સંસદમાં લાંબી ચર્ચા થઈ હતી અને પ્રજાસત્તાક દિવસની પરેડની થીમ “વંદે માતરમ – સ્વતંત્રતાનો મંત્ર” તરીકે નિર્ધારિત કરી હતી.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






