રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ડોકલામ–ચીન મુદ્દો, સંસદમાં થયો ભારે હંગામો

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું. પોતાના ભાષણમાં તેમણે ડોકલામ અને ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા જ સદનમાં ભારે હોબાળો મચી ગયો. કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીઓ પોતાની બેઠકો પરથી ઊભા રહી કડક વિરોધ નોંધાવ્યો.

રાહુલ ગાંધીએ કારવાં મેગેઝિન તથા પૂર્વ થલસેના પ્રમુખ જનરલ નરવણે દ્વારા ડોકલામ પર લખાયેલ પુસ્તકનો ઉલ્લેખ કર્યો, જેના કારણે મામલો વધુ ગરમાયો અને સંસદમાં શોર-બખેડો વધ્યો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકાર આપવાનો પ્રયાસ કર્યો. હંગામો સતત વધતો જોઈ લોકસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધી માટે સ્થગિત કરવામાં આવી.

રાહુલ ગાંધીએ કહ્યું કે, “આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ, પરંતુ એક સચ્ચાઈથી ડરે છે. પુસ્તકમાં એવું શું છે જે આપણે વાંચી ન શકીએ? અમને વાંચવા તો દો. આ પુસ્તકમાં ડોકલામમાં જે કંઈ બન્યું હતું તેની તમામ હકીકતો લખેલી છે. આ પુસ્તક ખુદ આર્મી જનરલ નરવણે લખ્યું છે.”

ચીની ટેન્કો કૈલાશ રેન્જ પર ચડી રહી હતી: રાહુલ ગાંધી
આ નિવેદન બાદ રાજનાથ સિંહ ભડકી ઉઠ્યા અને તેમણે કહ્યું કે, “જો નરવણેએ એવું લાગતું હતું કે તેમના પુસ્તક પર રોક લગાવવામાં આવી છે, તો તેઓ કોર્ટમાં જઈ શકતા હતા. તેઓ કોર્ટમાં ગયા કેમ નહીં?” રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે, “ચીની ટેન્કો કૈલાશ રેન્જ પર ચડી રહી હતી.”રાહુલ ગાંધીના આ નિવેદનને લઈને પણ ભારે હંગામો થયો હતો.

સદનમાં આ મુદ્દે ગરમાગરમી અને ભારે હંગામો જોવા મળ્યો.
ચીનની ઘુસણખોરીના મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી જેમ જ પોતાનું સંબોધન શરૂ કરવા ગયા, તેમ જ રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાની બેઠક પરથી ઊભા થયા. રાજનાથ સિંહે જણાવ્યું કે, જે માહિતી જાહેર રીતે ઉપલબ્ધ નથી, તેનો ઉલ્લેખ સંસદમાં કરી શકાય નહીં. આ નિવેદન બાદ કોંગ્રેસના સાંસદોએ કડક વિરોધ નોંધાવ્યો અને જણાવ્યું કે, રાહુલ ગાંધી તો હજી પોતાની વાત પૂર્ણ પણ નથી કરી શક્યા, ત્યારે જ તેમને અટકાવવામાં આવી રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું: “હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PMમોદી અને રાજનાથ સિંહ વિશે જે વાતો કરી છે તે કહી શકું.” ત્યારે સ્પીકર ઓમ બિરલાએ કહ્યું: “સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી કોઈ પુસ્તકનો ઉલ્લેખ અહીં કરી શકતા નથી.”

અખિલેશ યાદવે રાહુલ ગાંધીનો ટેકો આપ્યો
લોકસભામાં તાજેતરમાં સાંસદોની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીના ચીન મુદ્દે નિવેદનોએ હાહાકાર મચાવ્યો. રાહુલ ગાંધીએ એક મેગેઝિન લેખનો ઉલ્લેખ કરીને ચીનની સેનાની કૈલાશ રેન્જમાં ઘૂસણખોરીનો દાવો કર્યો, જેને સાંસદોએ કાલ્પનિક અને ભ્રમજનક જાહેર કર્યું. આ મુદ્દે અખિલેશ યાદવે રાહુલને ટેકો આપ્યો અને કહ્યું કે, જો રાષ્ટ્રીય હિતમાં કોઈ સૂચન હોય, તો વિપક્ષના નેતાએ તેને ધ્યાનપૂર્વક વાંચવું જોઈએ. તેમણે ડૉ. લોહિયા અને મુલાયમ સિંહ યાદવ સહિતના ઉદાહરણો આપીને ચીન સામે સાવધાન રહેવાની જરૂરિયાત દર્શાવી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે UAEનો મોટો નિર્ણય, ઈરાન સાથે વેપાર અને નાણાકીય વ્યવહારો સ્થગિત

મધ્યપૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ વચ્ચે સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ઈરાન સામે મહત્વપૂર્ણ આર્થિક નિર્ણય લીધો છે. UAEએ ઈરાન સાથેના વેપાર, વ્યાવસાયિક આદાન-પ્રદાન અને નાણાકીય વ્યવહારોને આગામી સૂચના સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણયથી બંને દેશોના આર્થિક સંબંધોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. UAEના અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રદેશમાં ઝડપથી બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અને વધતા તણાવને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ માત્ર બંને દેશો સુધી મર્યાદિત ન રહેતાં ગલ્ફ ક્ષેત્રના અન્ય દેશો માટે પણ સુરક્ષા અને આર્થિક પડકાર ઊભો કરી રહ્યો છે. ઈરાન સાથેના તમામ આર્થિક વેપાર પર રોક UAEના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન સાથેના વેપાર અને વ્યાવસાયિક લેવડદેવડ ઉપરાંત…

ભાવનગરમાં નકલી દારૂકાંડ બાદ મોટું પોલીસ એક્શન, 5 પોલીસકર્મી સસ્પેન્ડ; 21 સામે FIR

ભાવનગર જિલ્લામાં કથિત નકલી દારૂ પીવાથી થયેલા મોતના બનાવ બાદ પોલીસ અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ખારકડી ગામમાં બનેલી આ ઘટનામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયાની માહિતી સામે આવી છે, જ્યારે અનેક લોકોની તબિયત લથડતા તેમને સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે મુખ્ય બુટલેગર ગૌતમ સોલંકી સહિત કુલ 21 લોકો સામે FIR નોંધી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લા પોલીસ વડાએ ફરજમાં બેદરકારીના આક્ષેપો વચ્ચે 5 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. નીલમબાગ પોલીસ સ્ટેશનના એક અને વરતેજ પોલીસ સ્ટેશનના ચાર પોલીસકર્મીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે પોલીસ વિભાગમાં પણ ખળભળાટ મચી ગયો છે. ચાર લોકોના મોતથી ચકચાર ભાવનગર જિલ્લાના ઘોઘા…