ભારતમાં ધર્માંતરણ વિરોધી કાયદાઓને લઈને સુપ્રીમ કોર્ટની સખત કાર્યવાહી જોવા મળી રહી છે. નેશનલ કાઉન્સિલ ઓફ ચર્ચીસ ઇન ઇન્ડિયા (NCCI) દ્વારા દાખલ અરજી પર સુનાવણી કરતા મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે કેન્દ્ર સરકાર સહિત ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને અન્ય 9 રાજ્યોને કારણદર્શક નોટિસ ફટકારી છે. કોર્ટે સરકારોને પોતાના પક્ષને સ્પષ્ટ કરવા માટે માત્ર ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે.
અરજદારોનો દાવો છે કે આ કાયદાઓનો દુરુપયોગ કરીને લઘુમતી સમુદાયોને લક્ષ્ય બનાવવામાં આવી રહ્યા છે અને નાગરિકોની ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે. વરિષ્ઠ વકીલ મીનાક્ષી અરોરાએ કોર્ટનું ધ્યાન દોર્યું કે ઓડિશા અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કાયદાનો વ્યાપ વધ્યો છે અને જૂથોને બિનજરૂરી ફરિયાદો કરવા માટે પ્રોત્સાહન મળે છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યુ કે સરકારનો જવાબ તૈયાર છે અને કાયદા સુપ્રીમ કોર્ટના પૂર્વના ઐતિહાસિક નિર્ણયોના દાયરામાં છે. કોર્ટે હવે તમામ અરજીઓને એકસાથે ટેગ કરીને ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સામે રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આગામી સુનાવણીમાં મુખ્ય પ્રશ્ન રહેશે કે શું સુપ્રીમ કોર્ટ આ કાયદાઓના અમલીકરણ પર વચગાળાનો સ્ટે આપશે. જો કાયદાઓ ગેરબંધારણીય ઠરશે તો એ ભાજપ શાસિત રાજ્યો માટે મોટો રાજકીય ફટકો સાબિત થઈ શકે છે, જ્યારે મક્કમ સરકારો પોતાની દલીલો સાથે મેદાનમાં રહેશે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






