અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ‘વિકાસદીપ’ યોજનાથી બંદીવાનોના સંતાનોને પ્રોત્સાહન

એક બંદીવાનનો પુત્ર લોકરક્ષક અને બીજા બંદીવાનનો પુત્ર જુનિયર ક્લાર્ક તરીકે ઉત્તીર્ણ થયો: બંને તેજસ્વી યુવાનોને રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, મોમેન્ટો તેમજ પ્રશંસાપત્રથી સન્માનિત કરાયા રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના હસ્તે અપાયા રોકડ પુરસ્કાર.

જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા, બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે: રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ

જેલના ચાર દીવાલો પાછળ સજા કાપી રહેલા બંદીવાનોના સંતાનો સમાજમાં ગૌરવભેર આગળ વધે અને સરકારી સેવાઓમાં જોડાય તેવા ઉમદા આશય સાથે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં અમલી કરાયેલી ‘વિકાસદીપ’ યોજના અંતર્ગત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે એક વિશેષ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થયેલા બંદીવાનોના સંતાનોને રોકડ ઈનામ અને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યત્વે બે બંદીવાનના દીકરાઓ એવા તેજસ્વી યુવાનોની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. અમદાવાદ મધ્યસ્થ જેલના બંદીવાન રાજેન્દ્રસિંહ જટુભા જાડેજાના પુત્ર, જેમણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024 ની પ્રક્રિયા પૂર્ણ કરી ‘અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ’ તરીકે પસંદગી મેળવી છે. તે ઉપરાંત રાજકોટ મધ્યસ્થ જેલના જેલમુક્ત પાકા બંદીવાન સુરસંગભાઈ સોલંકીના પુત્ર, જેમણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા પાસ કરી સુરત ખાતે ‘જુનિયર ક્લાર્ક’ (અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ) તરીકે નિમણૂંક મેળવી છે.

બંને તેજસ્વી યુવાનોને રાજ્યના પોલીસ વડાશ્રીના હસ્તે ‘વિકાસદીપ’ યોજના હેઠળ રૂા. ૧૫,૦૦૧/- નું રોકડ પુરસ્કાર, યાદગાર મોમેન્ટો તેમજ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું છે.

આ અવસરે રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે જણાવ્યું હતું કે, જેલ એ માત્ર સજાનું કેન્દ્ર નથી પણ સુધારણાની પાઠશાળા છે. બંદીવાનોના બાળકો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તે માટે જેલ વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે જેલ મહાનિરીક્ષકશ્રી, અમદાવાદ જેલ અધિક્ષક શ્રી ગૌરવ અગ્રવાલ, નાયબ અધિક્ષક પી.આઈ. સોલંકી, અન્ય ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. જેલ પ્રશાસનની આ સુધારાત્મક પ્રવૃત્તિને હાજર સૌએ હૃદયપૂર્વક વધાવી લીધી હતી.

છેલ્લા બે વર્ષમાં અપાયેલા પ્રોત્સાહનો:

1. ‘એક નઈ ઉમ્મીદ’ યોજના: રાજ્યની જેલોમાં રહેલા બંદીવાનોને ધોરણ 10, ધોરણ 12 તથા હાયર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા 57 બંદીવાનોને તા.12/08/2024ના રોજ રૂ.74,057/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

2. પાકા બંદીવાનોના 77 બાળકોને પ્રોત્સાહન: 38 પાકા બંદીવાનોના કુલ 39 બાળકોને તા.21-11-2024ના રોજ રૂ.54,038/- તથા તા.25-06-2025ના રોજ પાકા 34 બંદીવાનોના કુલ 38 બાળકોને રૂ.47,538/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા હતા.

3. 10 બંદીવાનોના બાળકો: તા.22/01/2026ના રોજ કુલ પાકા 10 બંદીવાનના 10 બાળકોને રૂ.11,500/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ તેમજ પ્રશંસાપત્ર આપવામાં આવ્યા.

4. 51 બંદીવાનો: રાજ્યની જેલોમાં રહેલ બંદીવાનોને ‘એક નઈ ઉમ્મીદ’ યોજના અન્વયે ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તીર્ણ થયેલ ક્રાયા/પાકા/પાસા હેઠળ રહેલ કુલ 51 બંદીવાનોને તા.25-06-2025ના રોજ રૂ.57,551/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવેલ.

5. તા.22/01/2026ના રોજ કુલ 01 બંદીવાનોને રૂ.1,501/- પ્રોત્સાહન સ્વરૂપે રોકડ ઈનામ આપવામાં આવ્યું.

 

 Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

  • Related Posts

    A4નિયમ: જિલ્લા અદાલતોમાં આજથી મોટા ફેરફાર : લીગલ સાઈઝ ને બદલે હવે A4 પેપરનો ઉપયોગ ફરજિયાત!

    B india અમદાવાદ : ગુજરાતના જિલ્લા ન્યાયતંત્રમાં આજથી એટલે કે 10 ઓગસ્ટ, 2026થી A4 સાઈઝના પેપરનો નવો નિયમ અમલમાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા જિલ્લા અદાલતોમાં દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે A4 પેપર ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણયને લઈને રાજ્યભરના વકીલોમાં ચર્ચા અને વિરોધ જોવા મળ્યા હતા, પરંતુ તાજેતરના સુધારેલા પરિપત્ર બાદ પણ A4 પેપરની મૂળભૂત જોગવાઈ યથાવત રાખવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના સુધારેલા પરિપત્ર મુજબ જિલ્લા અદાલતોમાં વિવિધ પ્રકારના કોર્ટ દસ્તાવેજો હવે નિર્ધારિત ફોર્મેટ મુજબ રજૂ કરવાના રહેશે. તેમાં પિટિશન, અપીલના મેમોરેન્ડમ, અરજીઓ, પ્લીડિંગ્સ, કોર્ટના ઓર્ડર અને જજમેન્ટ સહિતના મહત્વના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ સમગ્ર રાજ્યના જિલ્લા ન્યાયતંત્રમાં દસ્તાવેજોના કદ, પ્રિન્ટિંગ અને રજૂઆતમાં એકરૂપતા લાવવાનો હોવાનું માનવામાં આવે…

    Major Fire 2026 At Gandhinagar New Sachivalaya : સચિવાલયના બ્લોક 9 માં શોર્ટ સર્કિટના કારણે આગ

    Fire ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં આગ લાગતા અફરાતફરી મચી. બેઝમેન્ટમાં રાખવામાં આવેલા રેકોર્ડ બળીને ખાક થયા હોવાની માહિતી, ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો. ગાંધીનગરના નવા સચિવાલયમાં આગથી અફરાતફરી ગુજરાતની રાજધાની ગાંધીનગરમાંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના નવા સચિવાલયના બ્લોક નંબર-9માં આગ Fire લાગવાની ઘટના બનતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગ બ્લોક નંબર-9ના બેઝમેન્ટમાં લાગી હતી. બેઝમેન્ટમાં આગ ઝડપથી ફેલાતા ત્યાં રાખવામાં આવેલા રેકોર્ડને પણ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર કર્મચારીઓની કામગીરી બાદ આગને નિયંત્રણમાં લેવામાં આવી હતી. આગની ઘટના બાદ સચિવાલય પરિસરમાં સુરક્ષા અને આગના…