MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે આવનાર નાગરિકો માટે ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ અન્ય સામાન્ય રોગોની મફત તપાસ કરવામાં આવી હતી.
આ રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવનાર થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અકસ્માતના કેસોમાં જરૂરી રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો. આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું કે રક્તદાન કરવાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી, પરંતુ તે અનેક જીવન બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેથી વધુમાં વધુ લોકોએ રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ.
આ પ્રસંગે આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટરો અને કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. સાથે જ લાયસન્સ તથા અન્ય કામગીરી માટે આરટીઓ કચેરી ખાતે આવેલા નાગરિકોએ પણ રક્તદાન કેમ્પમાં ભાગ લઈ સેવા ધર્મનું પાલન કર્યું હતું. માર્ગ સલામતી સપ્તાહ દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમને નાગરિકોમાંથી સારો પ્રતિસાદ મળ્યો હતો .
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







