કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી. વસાવા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ સૂર્યા એપાર્ટમેન્ટના રહીશો તેમજ નારણપુરા વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.રીડેવલપમેન્ટ બાદ સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં આધુનિક માળખું, સુવિધાસભર આવાસો અને ઉત્તમ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

  • Related Posts

    GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન,2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક Zero Waste

    GPCB દ્વારા ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નું આયોજન, 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા ગાંધીનગર ખાતે ‘સેવા મેરા યોગદાન’ અંતર્ગત ‘અંબાજી પદયાત્રા સ્વચ્છ પર્યાવરણ યાત્રા 2026’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી તરફ જતી પદયાત્રાના માર્ગો પર સ્વચ્છતા જાળવવા, ઘન કચરાનું યોગ્ય એકત્રીકરણ અને વ્યવસ્થાપન કરવા તેમજ પદયાત્રીઓ અને નાગરિકોમાં પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી આ પહેલ છેલ્લા ત્રણ વર્ષથી હાથ ધરવામાં આવી રહી છે. આ વર્ષે સ્વચ્છતા અભિયાનને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ચાર પ્રાદેશિક કચેરીઓ દ્વારા આશરે 20 હજાર સ્ટીલ બોટલનું વિતરણ કરવામાં આવશે, જ્યારે 2 લાખ પ્લાસ્ટિક બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પદયાત્રા દરમિયાન સિંગલ…

    Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

    Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…