કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા.

ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી. વસાવા સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાથે જ સૂર્યા એપાર્ટમેન્ટના રહીશો તેમજ નારણપુરા વિસ્તારના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.રીડેવલપમેન્ટ બાદ સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2માં આધુનિક માળખું, સુવિધાસભર આવાસો અને ઉત્તમ રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓના જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

  • Related Posts

    કચ્છમાં રેલ વિકાસને નવી ગતિ: ₹493 કરોડના આદિપુર-ભુજ ડબલિંગ પ્રોજેક્ટને મંજૂરી

    કચ્છમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે ભારતીય રેલવેએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના આદિપુર-ભુજ રેલવે સેક્શનના 49 કિલોમીટર લાંબા ડબલિંગ (બેવડી લાઇન) પ્રોજેક્ટને ₹493 કરોડના ખર્ચે મંજૂરી આપવામાં…

    NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

    આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા…