ઉત્તર ભારતમાં ઠંડીનો કહેર: 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, દિલ્હીમાં 2013 બાદનું સૌથી નીચું તાપમાન

ઉત્તર અને પૂર્વ ભારતમાં હાડમારી ઠંડીનો પ્રભાવ વધુ તેજ બન્યો છે. પર્વતીય વિસ્તારોમાં સતત બરફવર્ષા અને ઉત્તર તરફથી વહેતા ઠંડા પવનોને કારણે દિલ્હી-એનસીઆર, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં તાપમાન સામાન્ય કરતાં ઘણું નીચે ઉતરી ગયું છે.

દિલ્હીના પાલમ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન 3.0 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે 2013 પછીનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર અને આસામ સહિત 8 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી જારી કરી છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં અનેક સ્થળોએ તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે. રાજસ્થાનના પ્રતાપગઢમાં માઈનસ 2 ડિગ્રી અને બાડમેરમાં માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. પંજાબમાં ભટિંડા સૌથી ઠંડુ સ્થળ રહ્યું જ્યાં 1.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે હરિયાણાના હિસારમાં તાપમાન 2.2 ડિગ્રી રહ્યું.

ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા વાહન વ્યવહાર અને ટ્રેન સેવાઓ પર પણ અસર પડી છે. હવામાન વિભાગે 17 જાન્યુઆરી સુધી ગાઢ ધુમ્મસ અને તીવ્ર શીત લહેર ચાલુ રહેવાની આગાહી કરી છે.

શાળાઓ બંધ કરવાનો નિર્ણય
તીવ્ર ઠંડીને ધ્યાનમાં રાખીને દિલ્હી અને ગૌતમ બુદ્ધ નગરમાં ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. ગાઝિયાબાદમાં પણ ધોરણ 8 સુધીના વર્ગો ઓનલાઈન રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા, અનાવશ્યક મુસાફરી ટાળવા અને ખાસ કરીને વૃદ્ધો તથા બાળકોની સુરક્ષા પર ધ્યાન આપવા અપીલ કરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો: ભારતના વ્યૂહાત્મક પ્રોજેક્ટને લઈને વધી ચિંતા

ઈરાનના દક્ષિણ-પૂર્વમાં આવેલા વ્યૂહાત્મક મહત્વના ચાબહાર પોર્ટ પર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. અહેવાલો મુજબ હુમલામાં મેરિટાઇમ ટ્રાફિક કંટ્રોલ ટાવરને નુકસાન થયું છે. જોકે, ભારત દ્વારા સંચાલિત શાહિદ બેહેશ્તી ટર્મિનલને…

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે અભેદ્ય સુરક્ષા: 30 હજાર પોલીસ, 3,700 CCTV, 100થી વધુ ડ્રોન રહેશે તૈનાત

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ શહેરમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર 16 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર અંદાજે 30 હજાર પોલીસ જવાનો, અદ્યતન ટેક્નોલોજી અને પેરામિલિટરી દળોની…