અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી.

આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે.

કાર્યક્રમોની સમયસૂચી
અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ
– બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે
– સાંજે 6 વાગ્યે નમોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે
– સાંજે 7 વાગ્યે વિશ્વ ઉમિયાધામ ખાતે યોજાનારા યુવા બિઝનેસ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે

અમિત શાહની આ મુલાકાતને લઈને ભાજપ કાર્યકરો અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમની હાજરીથી વિવિધ વિકાસ કાર્યોને વધુ વેગ મળશે એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

T20 વર્લ્ડ કપ જીત્યા પછી શા માટે ટ્રેનમાં મુંબઈ પહોંચ્યા શિવમ દુબે? જાણો સંપૂર્ણ કારણ

T20 વર્લ્ડ કપ 2026 જીત્યા પછી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યાં ઓલરાઉન્ડર Shivam Dube એ એક એવો નિર્ણય લીધો જે સૌને આશ્ચર્યમાં મૂકી દેતો હતો. અમદાવાદથી મુંબઈ…

નવરાત્રી ઘટસ્થાપન વિધિ: પહેલા દિવસે કળશ કેવી રીતે સ્થાપિત કરવો, સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન

ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે, અને પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપન કે કળશ સ્થાપના નવરાત્રીની શરૂઆતનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, પ્રથમ દિવસે યોગ્ય રીતે કળશ…