ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ, દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી

પંચમહાલના પવિત્ર ગણાતા ગોધરામાં દ્વારકાપીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી દ્વારા ગાય માતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવાની પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે. શંકરાચાર્ય પાંચ દિવસીય પ્રવાસ દરમિયાન ગોધરાની ધર્મસભામાં આવી માંગ રજૂ કરી, જેનાથી ગૌરક્ષા અને સનાતન ધર્મના પ્રચારને નવી ઊંચાઈ મળી છે.

આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણની ચિંતા
શંકરાચાર્યએ આદિવાસી વિસ્તારોમાં વધતા ધર્માંતરણના મુદ્દે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે, ભોળા આદિવાસીઓને વિવિધ પ્રલોભનો આપી ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું છે, જે અટકાવવું અત્યંત જરૂરી છે. તેઓ પોતે આદિવાસીઓ વચ્ચે જઈ સનાતન ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, જેથી લોકો પોતાની મૂળ સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.

વર્ણવ્યવસ્થાનો મહત્વ
વર્તમાન સમયમાં ચાલી રહેલી ચર્ચાઓ પર પૂંણવિરામ મુકતા શંકરાચાર્યે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં વર્ણવ્યવસ્થા અનિવાર્ય છે. લોકો આ વ્યવસ્થા દૂર થવી જોઈએ એવું કહી શકે, પરંતુ તે શક્ય નથી. મહત્વનું એ છે કે દરેક વ્યક્તિએ એકબીજાના વર્ણનું સન્માન કરવું જોઈએ.

ગાય માતાની રાષ્ટ્રમાતા તરીકે ઓળખાણ
ગોધરા, જેનું નામ ‘ગાયોની ધરા’ તરીકે ઓળખાય છે, ત્યાંથી શંકરાચાર્યે ગૌરક્ષાની હાકલ કરી. તેમણે જણાવ્યું કે, ગાય માત્ર પશુ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. શંકરાચાર્યનું કહેવું છે કે, જો તેને રાષ્ટ્રીય સ્તરે સર્વોચ્ચ દરજ્જો આપવામાં આવે, તો જ તેની સાચી રીતે રક્ષા થઈ શકે. પાંચ દિવસીય પ્રવાસના અંતે શંકરાચાર્યના કડક અને સ્પષ્ટ વલણને કારણે સમગ્ર પંથકમાં સનાતન ધર્મ અને ગૌરક્ષાને લઈને નવી ચેતના ફેલાઈ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

મોરબી જિલ્લામાં શોક: કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકથી નિધન

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા રાત્રી દરમિયાન હાર્ટ એટેકના કારણે નિધન પામ્યા. હાલ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયું છે, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા છે.…

ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સરકારનો કડક સંદેશ, ટેક્નોલોજી અને ડિઝાઈન પર કોઈ સમાધાન નહીં

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે પ્રોડક્ટ ડિઝાઈન અને ટેક્નોલોજીમાં યોગ્ય રોકાણ ન કરનાર કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઈલેક્ટ્રોનિક્સ…