મોરબી બાર એસોસિએશન: જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી ચૂંટણીનું પરિણામ જાહેર

મોરબી બાર એસોસિએશનમાં આજથી જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીના પદ માટેની ચૂંટણી યોજાઇ અને પરિણામ જાહેર થયું છે. અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ પદ બિનહરીફ થયા હતા.

મતદાન વિગત
આજની ચૂંટણીમાં કુલ 669 વકીલોમાંથી 519 વકીલોએ મતદાન કર્યું. જોઈન્ટ સેક્રેટરીના પદ માટે બે ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. તેમાં, અતુલભાઈ ડાભીને 196 મત મળ્યા જ્યારે જીતેનભાઈ સોલંકીએ 299 મત મેળવીને જીત મેળવી.

કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારોએ સ્પર્ધા કરી. પરિણામ મુજબ, કારોબારી પદ માટે વિજેતા ઉમેદવાર:
– ઘનશ્યામભાઈ આદ્રોજા – 299 મત
– પ્રદીપભાઈ કંઝારિયા – 246 મત
– યોગેશભાઈ પારેજીયા – 232 મત
– દેવીપ્રસાદ જોશી – 225 મત
– અન્ય ઉમેદવારોને મળેલા મત:
– હુસેનભાઈ કટારીયા – 180
– પ્રદીપભાઈ કાટીયા – 191
– નીતિનભાઈ પાડલીયા – 218

બિનહરીફ થયેલા પદ
– પ્રમુખ: દિલીપભાઈ આર. અગેચણીયા
– ઉપપ્રમુખ: પારધી દીપકભાઈ વાલજીભાઈ
– મહિલા રિપ્રેઝન્ટેટિવ: ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી
– ટ્રેઝરર: નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા
– કારોબારીમાં મહિલા: હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી
– સેક્રેટરી: ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી

જાહેર થયેલા પરિણામ અનુસાર જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી અને કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા તરીકે ચૂંટાયા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત : લઠ્ઠાકાંડમાં 13 આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, કેમિકલથી છેલ્લી બોટલ સુધી તપાસનો દોર

ગુજરાતમાં ચકચાર મચાવનાર લઠ્ઠાકાંડ મામલે તપાસનો વ્યાપ હવે વધુ વિસ્તરી રહ્યો છે. સમગ્ર કેસની તપાસ કરી રહેલા સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ઝડપાયેલા તમામ 13 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપીઓના રિમાન્ડની માંગણી કરતાં અદાલતે 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન તપાસકર્તાઓ આરોપીઓ પાસેથી લઠ્ઠો બનાવવાની સમગ્ર પ્રક્રિયા, તેમાં વપરાયેલા કેમિકલ, કાચા માલની ખરીદી અને સપ્લાય ચેઇન સહિતની મહત્વપૂર્ણ વિગતો મેળવવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત, આ ગુનામાં કોણ-કોણ સંડોવાયેલું હતું અને મુખ્ય સૂત્રધારો સુધી કેવી રીતે પહોંચી શકાય તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે. લઠ્ઠાકાંડ કેમિકલના સ્ત્રોત સુધી પહોંચવાનો પ્રયાસ લઠ્ઠાકાંડ તપાસમાં સૌથી મહત્વની કડી લઠ્ઠો બનાવવા માટે વપરાયેલા કેમિકલ અને અન્ય કાચા માલના સ્ત્રોતને શોધવાની છે. પોલીસ હવે…

ગુજરાત : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે ખેડૂતોની ચિંતા વધી, આગામી 7 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું હોવા છતાં વરસાદનું વિતરણ અસમાન રહેતાં ખેડૂતોની ચિંતા વધી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદની સરખામણીએ ખેંચ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જોકે, હાલની સ્થિતિમાં ભારે વરસાદની કોઈ મોટી સિસ્ટમ ગુજરાત તરફ સક્રિય થતી ન હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે આગામી દિવસો મહત્વપૂર્ણ બની રહ્યા છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના મોડેલ અને આગાહી વ્યવસ્થા મુજબ વરસાદી સિસ્ટમની સ્થિતિ સતત બદલાતી રહે છે અને અંતિમ સ્થાનિક આગાહી માટે વિભાગના સત્તાવાર બુલેટિનને પ્રાથમિકતા આપવી જરૂરી છે. રાજ્યમાં વરસાદનું અસમાન વિતરણ ગુજરાતમાં ચાલુ ચોમાસા દરમિયાન એક તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો છે, જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર અને…