અંતરિક્ષમાંથી ત્રાટક્યો ‘પરગ્રહી’ મહેમાન: 3I/ATLAS ધૂમકેતુની આસપાસ 4 લાખ કિલોમીટર લાંબી એક્સ-રે જ્વાળા દેખાઈ

બ્રહ્માંડના અનંત ઊંડાણમાંથી આપણા સૌરમંડળમાં દાખલ થયેલા આંતર તારાકીય (Interstellar) ધૂમકેતુ 3I/ATLAS એ વૈજ્ઞાનિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. નાસા (NASA), યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાનની JAXA દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવેલી એક્સ-રે તસવીરોમાં આ ધૂમકેતુની આસપાસ લગભગ 4,00,000 કિલોમીટર સુધી ફેલાયેલો તેજ ગ્લો જોવા મળ્યો છે. આ પ્રકારની વિશાળ જ્વાળા પહેલેથી ક્યારેય ઇન્ટરસ્ટેલર પદાર્થમાં નોંધાયેલી નથી.

શા માટે આ શોધ છે વિશેષ?
ધૂમકેતુ સામાન્ય રીતે સૂર્યપ્રકાશ પરાવર્તિત કરીને ચમકે છે, પરંતુ 3I/ATLAS એક્સ-રે ઉત્સર્જિત કરી રહ્યો છે. જ્યારે સૂર્યમાંથી નીકળતા ઝડપી ચાર્જ કણો (સૌર પવન) આ ધૂમકેતુના વાયુઓ સાથે અથડાય છે, ત્યારે આ ભયાનક એક્સ-રે જ્વાળા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાથી ધૂમકેતુમાં છુપાયેલા હાઇડ્રોજન, નાઇટ્રોજન અને અન્ય વાયુઓ અંગે માહિતી મળે છે, જે સામાન્ય ટેલિસ્કોપથી જોઈ શકાય તેવી નથી.

જેમ્સ વેબ ટેલિસ્કોપ અને જાપાનનું નિરીક્ષણ
વિશ્વના સૌથી શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્વારા આ ધૂમકેતુમાં પાણીની વરાળ અને કાર્બન ડાયોક્સાઇડ શોધવામાં આવી હતી. જોકે જાપાનના XRISM મિશન દ્વારા સતત 17 કલાક સુધીના નિરીક્ષણ દરમિયાન ધૂમકેતુના ન્યુક્લિયસમાંથી કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજનના સંકેતો મળ્યા. આ ડેટા અન્ય સૌરમંડળની રચના અને ઊભરેલી વૈજ્ઞાનિક રચનાઓને સમજવામાં મદદરૂપ સાબિત થશે.

પૃથ્વીની નજીકથી પસાર થવાનો સમય
વૈજ્ઞાનિકોના અનુસાર, 3I/ATLAS 19 ડિસેમ્બરે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થશે. માનવ ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર ત્રણ એવા પદાર્થ જોવા મળ્યા છે જે આપણી સૌરમંડળની બહારથી આવ્યા છે. યુરોપિયન XMM-ન્યૂટન ઓબ્ઝર્વેટરીએ લેવામાંેલી તસવીરોમાં આ તેજપુંજ લાલ રંગનો દેખાય છે, જે અવકાશમાં ભયાનક છતાં અદ્ભુત દ્રશ્ય સર્જે છે.

વિજ્ઞાનીઓનું માનવું છે કે આ શોધ આપણી ગેલેક્સીમાં અન્ય તારામંડળોની રચના અંગે નવી માહિતી પ્રદાન કરી શકે છે અને બ્રહ્માંડના રહસ્યો ઉઘાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

2027 : વસ્તી ગણતરી: પહાડી વિસ્તારોમાં ૧ સપ્ટેમ્બરથી ડિજિટલ જનગણના શરૂ Grand Launch

2027 વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર: પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે ડિજિટલ જનગણના  કેન્દ્ર સરકારે 2027ની વસ્તી ગણતરીનું શેડ્યૂલ જાહેર કર્યું છે. પહાડી વિસ્તારોથી 1 સપ્ટેમ્બરથી ડિજિટલ માધ્યમથી જનગણનાની કામગીરી શરૂ થશે. જાણો સંપૂર્ણ માહિતી. કેન્દ્ર સરકારે દેશભરમાં યોજાનારી 2027ની વસ્તી ગણતરી (Census 2027) માટેનું સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું છે. આ વખતે વસ્તી ગણતરીને વધુ પારદર્શક, ઝડપી અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે ડિજિટલ પદ્ધતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. સરકારના આયોજન મુજબ 1 સપ્ટેમ્બરથી પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં વસ્તી ગણતરીની કામગીરી શરૂ થશે, જ્યારે ત્યારબાદ દેશના અન્ય રાજ્યો અને શહેરોમાં પણ તબક્કાવાર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. દેશના વિકાસ, નીતિ નિર્માણ અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે વસ્તી ગણતરી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ વખતે ડિજિટલ માધ્યમથી…

કાવડ યાત્રા 2026 : Royal Welcome for Shiva Devotees: યોગી સરકારનું મોટું આયોજન: શ્રાવણ માસમાં કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી થશે ફૂલોની વર્ષા!

ઉત્તર પ્રદેશ સરકારે શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાને લઈને વિશેષ આયોજન કર્યું છે. કાવડિયાઓ પર હેલિકોપ્ટરથી ફૂલોની વર્ષા, કડક સુરક્ષા, આરોગ્ય સેવાઓ અને વિવિધ સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો. શ્રાવણ માસમાં કાવડ યાત્રા માટે ઉત્તર પ્રદેશ સરકારનું ભવ્ય આયોજન શ્રાવણ માસ હિંદુ ધર્મમાં ભગવાન શિવની આરાધના માટે સૌથી પવિત્ર સમયગાળામાંનો એક માનવામાં આવે છે. આ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાંથી ગંગાજળ ભરી કાવડ યાત્રા કરીને પોતાના નજીકના શિવ મંદિરોમાં જળાભિષેક કરે છે. આ યાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ શ્રદ્ધા, સમર્પણ અને આધ્યાત્મિક ભાવનાનું પ્રતિક પણ છે. આ વર્ષે ઉત્તર પ્રદેશ સરકારે કાવડ યાત્રાને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. તેમાં સૌથી વિશેષ આયોજન તરીકે પસંદ કરાયેલા માર્ગો પર હેલિકોપ્ટર દ્વારા…