ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.
નવી જાહેરાત અનુસાર હવે બોર્ડની પરીક્ષાઓ નીચે મુજબ લેવામાં આવશે:
– ધોરણ 10
સામાજિક વિજ્ઞાન: અગાઉ ધૂળેટીના દિવસે નક્કી કરાયેલ પેપર હવે 18 માર્ચે લેવાશે.
– ધોરણ 12 – સામાન્ય પ્રવાહ
સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ હવે 18 માર્ચે યોજાશે.
– ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે.
– સંસ્કૃત વિષયમાં ફેરફાર
સંસ્કૃત પ્રથમા: 16 માર્ચ, સવારે 10:00 થી 1:15
સંસ્કૃત મધ્યમા: 16 માર્ચ, બપોરે 3:00 થી 6:16
ધૂળેટી જેવા તહેવારે પરીક્ષા રાખવાના નિર્ણયને લઈ થયેલા છબરડાં અને વાલીઓના વિરોધ બાદ બોર્ડે આ સુધારો કર્યો છે. નવી તારીખો જાહેર થતા વિદ્યાર્થીઓ હવે સુધારેલા સમયપત્રક પ્રમાણે પોતાની તૈયારી આગળ વધારી શકશે.
બોર્ડે તમામ વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે નવી તારીખો અનુસાર યોગ્ય સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને અપડેટેડ સમયપત્રકનું પાલન કરે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






