ગુજરાત બોર્ડે જાહેર કરી નવી પરીક્ષા તારીખો, ધૂળેટીના દિવસે યોજાનાર પેપરમાં મોટો ફેરફાર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ધૂળેટીના દિવસે પરીક્ષા રાખવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો, જેના પગલે બોર્ડે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે.

નવી જાહેરાત અનુસાર હવે બોર્ડની પરીક્ષાઓ નીચે મુજબ લેવામાં આવશે:

– ધોરણ 10
સામાજિક વિજ્ઞાન: અગાઉ ધૂળેટીના દિવસે નક્કી કરાયેલ પેપર હવે 18 માર્ચે લેવાશે.

– ધોરણ 12 – સામાન્ય પ્રવાહ
સામાન્ય પ્રવાહની પરીક્ષા પણ હવે 18 માર્ચે યોજાશે.

– ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ
વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 16 માર્ચે બપોરે 3:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી લેવામાં આવશે.

– સંસ્કૃત વિષયમાં ફેરફાર
સંસ્કૃત પ્રથમા: 16 માર્ચ, સવારે 10:00 થી 1:15
સંસ્કૃત મધ્યમા: 16 માર્ચ, બપોરે 3:00 થી 6:16

ધૂળેટી જેવા તહેવારે પરીક્ષા રાખવાના નિર્ણયને લઈ થયેલા છબરડાં અને વાલીઓના વિરોધ બાદ બોર્ડે આ સુધારો કર્યો છે. નવી તારીખો જાહેર થતા વિદ્યાર્થીઓ હવે સુધારેલા સમયપત્રક પ્રમાણે પોતાની તૈયારી આગળ વધારી શકશે.

બોર્ડે તમામ વિદ્યાર્થીઓને સૂચના આપી છે કે નવી તારીખો અનુસાર યોગ્ય સમય પર પરીક્ષા કેન્દ્ર પર પહોંચે અને અપડેટેડ સમયપત્રકનું પાલન કરે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Hansapura : વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો આક્ષેપ, Hansapuraના લોકોમાં ચિંતા Toxic Stream 2026

વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવાનો આક્ષેપ, Hansapuraના લોકોમાં ચિંતા વડોદરા જિલ્લાના વાઘોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કેમિકલયુક્ત દૂષિત પાણી છોડાતું હોવાની ફરિયાદ સામે આવી છે. Hansapura ગામના સ્થાનિકોએ આ મામલે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી. સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્યે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને પત્ર લખીને તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે. -> Hansapura પાસે પ્રદૂષિત પાણી છોડાવાની ફરિયાદ : ધારાસભ્યની રજૂઆત મુજબ Hansapura અને આસપાસના વિસ્તારમાં આવેલી કેટલીક ઔદ્યોગિક કંપનીઓ દ્વારા પ્રક્રિયા કર્યા વગરનું કેમિકલયુક્ત પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતું હોવાની ફરિયાદો મળી છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે નદીમાં દૂષિત પાણીના નિકાલને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ સહિતની સમસ્યાઓ સર્જાઈ રહી છે અને લોકોમાં ચિંતા વધી છે. જોકે, આ…

Limbdi News 2026: લીંબડી-રાણપુર રોડ પર કાળમુખો અકસ્માત..Tragic Crash..

Limbdi -રાણપુર રોડ પર ભયંકર અકસ્માત, 21 વર્ષીય બટુકભાઈ કાલરીયાનું ઘટનાસ્થળે મોત રિપોર્ટર : ભરતસિંહ પરમાર ભૃગુપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત; અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર, આશાસ્પદ યુવાનના આકસ્મિક નિધનથી પરિવાર પર શોકની લાગણી સુરેન્દ્રનગર Limbdi -બોટાદ પંથકને જોડતા Limbdi -રાણપુર રોડ પર ફરી એકવાર ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભૃગુપુર નજીક ટ્રક અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 21 વર્ષીય બટુકભાઈ માધાભાઈ કાલરીયા નામના યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી અને મૃતક યુવાનના પરિવારજનો તથા પરિચિતોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, બટુકભાઈ કાલરીયા બાઇક પર જઈ રહ્યા હતા તે દરમિયાન ભૃગુપુર નજીક Limbdi -રાણપુર…