બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઢાકાની એક ખાસ કોર્ટે સોમવારે હસીના, તેમની બહેન શેખ રેહાના અને રેહાનાની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીકને પૂર્વાચલ ન્યૂ ટાઉન પ્રોજેક્ટમાં કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (RAJUK) દ્વારા પ્લોટ ફાળવણીમાં અનિયમિતતાના કેસમાં દોષિત ઠેરવ્યા છે.
કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, હસીનાએ વડા પ્રધાન તરીકે સેવા આપતી વખતે રાજ્યના અધિકારનો દુરુપયોગ કરીને ગેરકાયદેસર રીતે પ્લોટ મેળવ્યા હતા. ACC અનુસાર, હસીનાએ રાજુકના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને, ઢાકા ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ (જમીન ફાળવણી) નિયમો, 1969નું ઉલ્લંઘન કરીને, પૂર્વાચલમાં સેક્ટર 27 ના ડિપ્લોમેટિક ઝોનમાં ગેરકાયદેસર રીતે છ પ્લોટ ફાળવ્યા હતા. આમાં હસીનાના પુત્ર સજીબ વાઝેદ જોય, પુત્રી સાયમા વાઝેદ પુતુલ, બહેન રેહાના અને રેહાનાની પુત્રી ટ્યૂલિપ રિઝવાના મુજીબ સિદ્દીકનો સમાવેશ થાય છે.
ભ્રષ્ટાચાર વિરોધી પંચ (ACC) એ અત્યાર સુધીમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને કુલ ચાર ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા છે. આને તેમના રાજકીય કારકિર્દી અને દેશમાં પાછા ફરવા માટે એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. આ કોર્ટનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે તેઓ પહેલાથી જ અનેક કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે. આ કેસમાં તેમની બહેન અને ભત્રીજીની સંડોવણી પણ પરિવાર માટે એક મોટી સમસ્યા છે.
આ પણ વાંચો: સંસદના શિયાળુ સત્ર પહેલા વિપક્ષને પીએમ મોદીનો સંદેશ, જાણો શું કહ્યું
ત્રણ કેસમાં 21 વર્ષની સજા
ગયા અઠવાડિયે 27 નવેમ્બરના રોજ બીજા એક નિર્ણયમાં, હસીનાને પૂર્વાચલ કૌભાંડના ત્રણ કેસમાં 21 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે તેમના પુત્ર જોય અને પુત્રી પુતુલને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ACC એ કુલ છ કેસ દાખલ કર્યા છે, જેમાં હસીના મુખ્ય આરોપી છે. વધુમાં, વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓ માટે હસીનાને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






