દિલ્હી બ્લાસ્ટ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, વિદેશથી MBBS કરેલા ડોક્ટરોની વિગતો માંગાઈ

દિલ્હીમાં થયેલા લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં તપાસ તેજ બની રહી છે. દિલ્હી પોલીસે NIA સાથે મળીને મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. તપાસના ભાગરૂપે શહેરની તમામ ખાનગી હોસ્પિટલોને નોટિસ જારી કરી છે, જેમાં ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, UAE અને ચીનમાંથી MBBS કરેલા અને હાલમાં દિલ્હીમાં પ્રેક્ટિસ કરતા ડોક્ટરોની સંપૂર્ણ માહિતી તાત્કાલિક સોંપવા જણાવાયું છે.

NIAની તપાસમાં નવી વિગતો બહાર આવી
લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં આત્મઘાતી બોમ્બર ઉમર નબીના સંપર્કો અંગે પણ NIA તપાસ કરી રહી છે. ખાસ કરીને ઉમર નબી અને અલ-ફલાહ યુનિવર્સિટીના એક ડોક્ટર વચ્ચેના સંભવિત સંબંધોને લઈને એજન્સી સતર્ક છે.

NIAએ અત્યાર સુધી યુનિવર્સિટીના 30 ડોક્ટરોના નિવેદનો નોંધ્યા છે. સાથી ડોકટર્સે કહ્યું છે કે ઉમર નબીનો સ્વભાવ અત્યંત અજીબ હતો અને તે પોતાના રૂમમાં માત્ર થોડા પસંદગીના લોકોને જ આવવા દેતો હતો.

બ્લાસ્ટ કેસમાં વધુ એક ધરપકડ
બોમ્બ બ્લાસ્ટ કેસમાં આરોપી શોએબને NIAએ ફરીદાબાદમાંથી પકડી પાડ્યો છે. 26 નવેમ્બરના રોજ તેને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા બાદ, કોર્ટએ NIAને શોએબના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

આંતરરાષ્ટ્રીય જોડાણોની તપાસ
પોલીસ અને NIA બંન્નેની સંયુક્ત તપાસથી સ્પષ્ટ થાય છે કે તંત્ર આ કેસમાં આંતરરાષ્ટ્રીય નેટવર્કની શક્યતા ધ્યાનમાં રાખીને દરેક પાસું ઊંડાણપૂર્વક તપાસી રહ્યું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ઇટાલી : સિસિલીમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટ્યો, રાખના ગોટાથી કેટાનિયા એરપોર્ટ બંધ

ઇટાલીના સિસિલી ટાપુ પર આવેલા વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક માઉન્ટ એટનામાં સોમવારે સવારે ફરી એકવાર જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો અને રાખનું વાદળ ઊઠતાં તેની સીધી અસર નજીકના કેટાનિયા એરપોર્ટ પર પડી હતી. રાખના વાદળને કારણે વિમાન ઉડાન અને લેન્ડિંગ માટે જોખમી સ્થિતિ સર્જાતાં એરપોર્ટનું સંચાલન અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી. માઉન્ટ એટનાની પ્રવૃત્તિ વધતાં સ્થાનિક તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને પણ પરત જવાની સૂચના આપવામાં આવી હતી. ઇટાલીમાં રાખના વાદળથી ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત માઉન્ટ એટનામાંથી નીકળેલા રાખના ગોટા અને ધુમાડો વાતાવરણમાં ફેલાતા હવાઈ મુસાફરી માટે જોખમ ઊભું થયું હતું. જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિન અને અન્ય મહત્વપૂર્ણ ભાગો માટે…

ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિયઃ આગામી દિવસોમાં મેઘરાજા ધમરોળશે, 40 કિમીની ઝડપે પવનની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવનની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે. ખાસ…