UIDAIનો નવો આદેશ: હવે આધાર કાર્ડથી ‘આ’ સેવાઓ માટે પુરાવો માન્ય નહીં, જાણો વિગત

ભારતીય નાગરિકોના સૌથી મહત્વના દસ્તાવેજોમાં ગણાતું આધાર કાર્ડ અંગે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. લોકોમાં રહેલી મૂંઝવણ દૂર કરવા માટે UIDAI એ નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે આધાર હવે કેટલીક સેવાઓ માટે ઉપયોગી નહીં રહેશે.

આધારનો હેતુ — માત્ર ઓળખનો પુરાવો
UIDAI અનુસાર, આધાર કાર્ડનો માત્ર હેતુ વ્યક્તિની ઓળખ (Identity Proof) તરીકે ઉપયોગ કરવાનો છે. એટલે કે તે કોઈની નાગરિકતા, રહેઠાણ કે જન્મ તારીખનો પુરાવો તરીકે માન્ય નહીં ગણાય.

આધારનો ઉપયોગ જ્યાં ન કરી શકાય
– નાગરિકતા (Citizenship) નો પુરાવો તરીકે
– રહેઠાણ (Domicile) નો પુરાવો તરીકે
-જન્મ તારીખ (Date of Birth) નો પુરાવો તરીકે
-જન્મ પ્રમાણપત્રના વિકલ્પ તરીકે

આધારનો ઉપયોગ જ્યાં કરી શકાય
– બેંક ખાતું ખોલવા (KYC પ્રક્રિયા માટે)
– આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવા
– PAN કાર્ડ લિંક કરવા
– સરકારી સબસિડી યોજનાઓનો લાભ મેળવવા
– UIDAIએ પોસ્ટ ઓફિસો અને સરકારી કચેરીઓને આ સૂચના નોટિસ બોર્ડ પર જાહેર કરવા કહ્યું છે, જેથી લોકોમાં ખોટી સમજણ ન રહે.

હવે આધાર અપડેટ મોંઘુ
UIDAIએ 1 ઓક્ટોબરથી આધાર અપડેટ માટેની ફી વધારી છે.

અપડેટનો પ્રકાર જૂની ફી નવી ફી
નામ, સરનામું, જન્મ તારીખ જેવા ડેમોગ્રાફિક અપડેટ્સ ₹50 ₹75
ફિંગરપ્રિન્ટ, આઇરિસ, ફોટો જેવા બાયોમેટ્રિક અપડેટ્સ ₹100 ₹125

નવજાત બાળકો માટે નોંધણી અને અપડેટિંગ મફત રહેશે.

આધાર ક્યાં ફરજિયાત છે
– ITR ફાઇલિંગ
– બેંક અને મોબાઇલ KYC
– LPG સબસિડી
– પેન્શન અને શિષ્યવૃત્તિ યોજનાઓ
– મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય વ્યવહારો

UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે આધાર સરકારી લાભોને સીધા લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે મહત્વપૂર્ણ રહેશે, પરંતુ તેની મર્યાદા સમજીને જ ઉપયોગ કરવો જોઈએ.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…