નૂર વલી મહેસુદે પાકિસ્તાનને કઠિન પરિસ્થિતિમાં મુકી દીધું, સતત આતંકવાદી હુમલાઓ બાદ તણાવ શિખરે

8 ઓક્ટોબરે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા ખૈબર પખ્તુનખ્વા રાજ્યમાં થયેલા ભારે હુમલામાં 23 પાકિસ્તાની સૈનિકોના મોત થયા.
આ હુમલાની જવાબદારી TTPએ લીધી હતી, જેના નેતા નૂર વલી મહેસુદ છે.

હમલાના પ્રતિસાદમાં પાકિસ્તાને કાબુલ સ્થિત તેના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા, પરંતુ મહેસુદ બચી ગયો હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાથી પાકિસ્તાનને આંતરિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે દબાણનો સામનો કરવો પડી રહ્યો છે.

નૂર વલી મહેસુદ: કોણ છે આ આતંકવાદી નેતા?
– જન્મ: 26 જૂન, 1978 – દક્ષિણ વઝીરિસ્તાન, ખૈબર પખ્તુનખ્વા
– જાતિ: મહસુદ પઠાણ (પશ્તુન જાતિની મેચીખેલ ઉપજાતિ)
– 2018થી TTPના વડા
– પૂર્વ TTP વડા મુલ્લા ફઝલુલ્લાહના મોત પછી સુકાની પદ પર આવ્યા
– TTPના કાર્યકાળમાં આતંકવાદી હુમલાઓમાં વધારો
-10 સપ્ટેમ્બર 2019: અમેરિકા દ્વારા “Global Terrorist” જાહેર
– જુલાઈ 2020: સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબંધિત યાદીમાં સમાવેશ

મહેસુદ અને ખૈબર પખ્તુનખ્વા પર હુમલાઓ
TTPના મુખ્ય હુમલાઓમાં મોટા ભાગના ખૈબર પખ્તુનખ્વા અને પાકિસ્તાની સરહદ વિસ્તારમાં થયા છે. નૂર વલી મહેસુદે TTPને વધુ સંગઠિત, ઢાંચાબદ્ધ અને આધુનિક બનાવ્યું છે. તેમની નેતૃત્વ પદ્ધતિઓ આતંકવાદમાં નવી તાકાત લાવતી હોવાથી તેઓ પાકિસ્તાન માટે સતત હેતુ નિશાન રહ્યા છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ
– પાકિસ્તાનનો આક્ષેપ: અફઘાન તાળીબાન TTP ને આશ્રય આપે છે
– અફઘાનિસ્તાનનો જવાબ: પાકિસ્તાન IS (ઇસ્લામિક સ્ટેટ)ના આતંકવાદીઓને આશ્રય આપે છે
– બંને દેશોના સરહદ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે
– આથી આંતરરાષ્ટ્રીય સમુદાયે બંને દેશોને સ્થિરતા માટે દબાણ કરવાનું શરૂ કર્યું છે.

નૂર વલી મહેસુદ માત્ર આતંકવાદી સંગઠનના વડા તરીકે નહીં, પણ પાકિસ્તાનની આંતરિક સલામતી માટે સતત મોટો પડકાર બની રહ્યા છે. તેમની સંગઠિત નેતૃત્વ શૈલી TTPને વધુ ઘાતક અને સક્રિય બનાવી રહી છે. આ સંજોગોમાં, પાકિસ્તાનને તેમના વિરુદ્ધ કાર્યચલાવવું હવે માત્ર રક્ષણાત્મક નહીં પણ રાજકીય જરૂરિયાત બની ગયું છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, લાગ્યો હતો મોટો આરોપ

પ્રખ્યાત યુટ્યુબર અને બિગ બોસ OTT વિજેતા એલ્વિશ યાદવને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. દેશની સર્વોચ્ચ અદાલતે તેમની સામેના સાપના ઝેરના કેસને ફગાવી દીધો છે. યુટ્યુબર પર નવેમ્બર…

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…