આખી રાત નહીં, માત્ર 2 જ કલાક ફટાકડા ફોડી શકશો | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ફટાકડાઓનું ધૂમ વેચાણ થતું હોય છે. સિઝનલ દુકાનો ઉપરાંત સ્ટોલ કરીને વેપારીઓ ફટાકડાનું વેચાણ કરતા હોય છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કમિશનર અને રાજ્યની અગ્નિશમન સેવા કચેરીને પત્ર લખી ફટાકડા સંબંધિત કોઈ વિસ્ફોટ કે આગ ન બને એના તકેદારીના ભાગરૂપે ફાયર સેફટી અંગે ફાયર વિભાગ દ્વારા જ લેખિતમાં અભિપ્રાય આપવાનો રહેશે, જેથી હવે ફાયર વિભાગ દ્વારા લેખિતમાં અભિપ્રાય આપ્યા બાદ જ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા દુકાન કે સ્ટોલ ધરાવનારા લોકોને લાઇસન્સ આપવામાં આવશે. પરંતુ કેટલાક લોકોએ લાઇસન્સ લીધા વિના દુકાનો શરૂ કરી દીધી છે.

કોઈ ફાયર સેફ્ટી રાખવામાં આવતી નથી ત્યારે જો રોડ પર કોઈ વ્યક્તિ દ્વારા ફટાકડા ફોડવામાં આવે અને એ ફટાકડા ઊડીને હંગામી સ્ટોલ અથવા દુકાનમાં જાય તો આગ લાગવાની ઘટના બની શકે છે. બીજી બાજુ દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.

ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

બ્રિટન રાજકારણમાં ખળભળાટ: સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગના રાજીનામાથી સ્ટાર્મર સરકાર પર દબાણ વધ્યું

બ્રિટનની રાજનીતિમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરની સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી વેસ સ્ટ્રીટિંગે કેબિનેટમાંથી રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ રાજીનામાને સ્ટાર્મરના નેતૃત્વ…

બંગાળની સ્કૂલોમાં ‘વંદે માતરમ’ ફરજિયાત: દેશભક્તિ વધારવા સરકારનો મોટો નિર્ણય

પશ્ચિમ બંગાળ સરકારે રાજ્યની શૈક્ષણિક વ્યવસ્થામાં દેશભક્તિની ભાવના મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં સવારની…