Ahmedabad : SGVP સંસ્થાન દ્વારા ઉજવાયો શરદોત્સવ, મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ રહ્યા ઉપસ્થિત

અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ SGVP સંસ્થાન દ્વારા ભવ્ય રીતે આયોજિત શરદોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

SGVP સંસ્થાન ઉજવામાં આવેલ શરદોત્સવ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ તથા રાજ્યના મંત્રીજગદીશભાઈ વિશ્વકર્મા, SGVPના સંત સમુદાયના આગેવાનો, તેમજ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, કૌશિકભાઈ વેકરીયા સહિત અનેક મહાનુભાવો અને શ્રદ્ધાળુઓએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

 

જોવા મળ્યું સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય
શરદોત્સવ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો, ભક્તિ સંગીત અને સંસ્કૃતિક રજૂઆતો દ્વારા સાંસ્કૃતિક સૌહાર્દનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું હતું. SGVP સંસ્થાન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આ કાર્યક્રમને ભવ્યતા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *