ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલા તણાવ અને બંને પક્ષો તરફથી હવાઈ હુમલા અને લશ્કરી કાર્યવાહી બાદ હવે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યું છે. અમેરિકાના હસ્તક્ષેપ બાદ, બંને દેશોમાં તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ લાગુ કરવામાં આવ્યો છે. આ પછી પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર ખોલી દીધું છે.
બંને દેશો વચ્ચે તણાવ વધ્યા બાદ પાકિસ્તાને તાજેતરમાં જ પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું હતું. પરંતુ હવે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ બાદ, તેને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં ઉડ્ડયન પ્રવૃત્તિઓને સામાન્ય બનાવવાની દિશામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન આરીતે કરતું હતું પોતાનો બચાવ
પાકિસ્તાન એરપોર્ટ ઓથોરિટી અનુસાર, હવે દેશના તમામ એરપોર્ટ સંપૂર્ણપણે કાર્યરત છે અને નિયમિત ફ્લાઇટ્સ માટે ઉપલબ્ધ છે. આનાથી મુસાફરો અને એરલાઇન્સને મોટી રાહત મળી છે, જેઓ અગાઉ એરસ્પેસ પ્રતિબંધોને કારણે ફ્લાઇટ્સ મુલતવી રાખવા અને વિલંબનો સામનો કરી રહ્યા હતા. પાકિસ્તાન સરકાર દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘હવે પાકિસ્તાનનું હવાઈ ક્ષેત્ર તમામ પ્રકારના હવાઈ ટ્રાફિક માટે સંપૂર્ણપણે ખુલ્લું છે.’ નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાને ભારતીય હવાઈ હુમલાઓથી બચવા માટે લાંબા સમય સુધી જાણી જોઈને કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઈ ક્ષેત્ર ખુલ્લું રાખ્યું હતું જેથી તે ભારતીય હુમલાઓથી બચી શકે.
ભારતીય વિદેશ મંત્રાલયે પણ તેના બ્રેસ બ્રીફિંગમાં આ માહિતી આપી હતી. જોકે, બાદમાં જ્યારે ભારતે લશ્કરી કાર્યવાહી વધુ તીવ્ર બનાવી, ત્યારે પાકિસ્તાનને થોડા સમય માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરવાની ફરજ પડી, જેના કારણે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવી પડી. આના કારણે, પહેલેથી જ આર્થિક સંકટમાં ફસાયેલા પાકિસ્તાનને દરરોજ કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








