ભારતે પાકિસ્તાન સાથે તોડયા વેપાર સંબંધો ! તમામ આયાત-નિકાસ પર મૂક્યો સંપૂર્ણ પ્રતિબંધ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક કડક પગલું ભર્યું છે. ભારત સરકારે તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાં ઉદ્ભવતા અથવા ત્યાંથી નિકાસ થતા તમામ માલની પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ લાદ્યો છે. આ પ્રતિબંધ એવા માલ પર પણ લાગુ પડશે જે મુક્તપણે આયાત કરી શકાય છે અથવા અન્યથા પરવાનગી આપવામાં આવે છે, તેમજ ત્રીજા દેશોમાંથી પસાર થતા માલ પર પણ લાગુ પડશે.

પાકિસ્તાન સાથે આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી પાકિસ્તાનને વધુ આર્થિક નુકશાન થશે. બંને દેશો વચ્ચે પહેલાથી જ મર્યાદિત વેપાર સંબંધો છે જે હવે સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. પાકિસ્તાનથી ભારતની આયાતમાં મુખ્યત્વે કૃષિ ઉત્પાદનો, મસાલા અને કેટલીક ખાદ્ય ચીજોનો સમાવેશ થતો હતો, જે હવે સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. નિષ્ણાતો માને છે કે આ પગલાની પાકિસ્તાનના અર્થતંત્ર પર ઊંડી અસર પડશે, ખાસ કરીને ખાદ્યપદાર્થોની અછત અને વધતી જતી ફુગાવાના સ્વરૂપમાં થશે.

2019થી વેપાર સંબંધો બગડ્યા હતા
2019 માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 દૂર કર્યા પછી ભારતે પાકિસ્તાન સાથેના વેપાર સંબંધો પહેલાથી જ પ્રતિબંધિત કરી દીધા હતા, અને હવે આ પ્રતિબંધ તે દિશામાં વધુ એક કઠિન પગલું છે.

પહેલગામ હુમલાથી તણાવ વધ્યો
પહેલગામની બૈસરન ખીણમાં થયેલા આ આતંકવાદી હુમલામાં બે વિદેશી પ્રવાસીઓ સહિત 26 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ હુમલાની જવાબદારી લશ્કર-એ-તૈયબાના ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)એ લીધી હતી. જોકે પાછળથી તેઓએ જવાબદારીનો ઇનકાર કર્યો હતો. ભારતે આ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું અને તેના જવાબમાં અનેક કડક પગલાં લીધાં, જેમાં સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી-વાઘા સરહદ બંધ કરવી અને પાકિસ્તાની રાજદ્વારીઓને હાંકી કાઢવાનો નિણર્ય કર્યો હતો. હવે વેપાર ક્ષેત્રે પાકિસ્તાનની મુશ્કેલી વધી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

વિશ્વ આદિવાસી દિવસ 2026 : Significance, History & Rights On World’s Indigenous Peoples Day

International Day of the World’s Indigenous Peoples 2026: વિશ્વ આદિવાસી દિવસનું મહત્વ, ઇતિહાસ અને થીમ જાણો દર વર્ષે 9 ઓગસ્ટના રોજ ‘International Day of the World’s Indigenous Peoples’ એટલે કે વિશ્વના આદિવાસી લોકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના આદિવાસી સમુદાયોના અધિકારો, તેમની અનોખી સંસ્કૃતિ, પરંપરા, ભાષા, જીવનશૈલી અને પ્રકૃતિ સાથેના ગાઢ સંબંધને માન્યતા આપવા માટે મહત્વપૂર્ણ છે. આ દિવસ માત્ર ઉજવણી પૂરતો સીમિત નથી, પરંતુ આદિવાસી સમાજ સામે રહેલા પડકારો અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમના અધિકારોના રક્ષણ માટે વૈશ્વિક સ્તરે સંકલ્પ લેવાનો દિવસ પણ છે. વિશ્વના અનેક દેશોમાં આદિવાસી સમુદાયો હજારો વર્ષોથી પોતાની પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવીને જીવન જીવતા આવ્યા છે. તેમની જીવનશૈલી પ્રકૃતિ, જંગલ, જમીન, નદીઓ અને સ્થાનિક પર્યાવરણ સાથે ગાઢ…

Safety Concern For Working Women દુષ્કર્મ In PG 2026 : અમદાવાદમાં મહિલા સુરક્ષા સામે સવાલ Justice Served

અમદાવાદ દુષ્કર્મ કેસ: PGમાં રહેતી યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યાનો આરોપ, આનંદનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો અમદાવાદ શહેરમાં PGમાં રહેતી એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યાના આરોપને પગલે ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, શહેરના આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક રહેણાંક સોસાયટીમાં રહેતી યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સ તથા CCTV ફૂટેજના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડને ઝડપી પાડ્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપીની ઓળખ ધર્મવીર તરીકે કરી છે. પ્રાથમિક વિગતો મુજબ આરોપી પરપ્રાંતીય હોવાનું જાણવા મળ્યું છે અને તે સંબંધિત ફ્લેટ/સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતો હતો. ફરિયાદ બાદ આનંદનગર પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *