મહિલા કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો હિતલક્ષી નિર્ણય, જાણો શું છે નિર્ણય

ગુજરાત સરકારે રાજ્યની મહિલા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અને હિતલક્ષી નિર્ણય કર્યો છે. હવે સરકારી નોકરીમાં જોડાણ પૂર્વે માતા બનેલી મહિલાઓને પણ માતૃત્વ રજા (મેટરનિટી લીવ) મળશે. આ નિર્ણયથી હજારો વર્કિંગ વુમનને રાહત મળશે, જે નોકરી પહેલાં માતા બન્યા બાદ માતૃત્વના અધિકારથી વંચિત રહી હતી.

શું છે નવો નિયમ?
રાજ્ય નાણાં વિભાગે આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. નવા નિયમ મુજબ, જો મહિલા કર્મચારી નોકરીમાં જોડાતા પહેલા માતા બની હોય તો: બાળકના જન્મની તારીખથી 180 દિવસની અંદરનો સમયગાળો ગણવામાં આવશે. જો નોકરીમાં જોડાણ 180 દિવસ પછી થાય, તો જેટલા દિવસ બાકી રહે, એટલી મેટરનિટી લીવ માન્ય રહેશે. તે દરમિયાન અન્ય કોઈ ખાસ શરતો લાગુ નહીં પડે. આ નિર્ણય ગુજરાત મુલ્કી સેવા રજાના નિયમો અંતર્ગત લેવામાં આવ્યો છે અને તમામ સરકારી મહિલા કર્મચારીઓ પર લાગુ પડશે.

કેટલાય પ્રશ્નોના મળ્યા જવાબ
1. કેટલા બાળકો માટે મેટરનિટી લીવ લેવાઈ શકે?
કોઈપણ મહિલા કર્મચારી ફક્ત પ્રથમ બે સંતાનો માટે પૂર્ણ 180 દિવસની મેટરનિટી લીવ લઈ શકે છે.

ત્રીજા બાળક માટે માત્ર 12 અઠવાડિયાની રજા માન્ય ગણાય છે.

2. દત્તક લીધેલ બાળક માટે પણ રજા?
હા, સરકારી નોકરી કરતી મહિલાઓ માટે નિયમ સ્પષ્ટ છે: દત્તક લીધેલ બાળક માટે પણ 180 દિવસની રજા મળવી જોઈએ.

દેશવ્યાપી કાયદા મુજબ શું છે નિયમ?
2017ના મેટરનિટી બેનિફિટ (એમેન્ડમેન્ટ) એક્ટ મુજબ: મહિલાઓને 26 અઠવાડિયાની રજા મળે છે. આ રજાનો ઉપયોગ ડિલિવરી પહેલા 8 અઠવાડિયા સુધી પણ કરી શકાય છે. આ લાભ માત્ર પ્રથમ બે સંતાનો માટે જ પૂર્ણ રીતે મળતો હોય છે. પ્રાઇવેટ ક્ષેત્રમાં કેટલીક શરતો લાગુ પડે છે, જ્યારે સરકારી નોકરીમાં વધુ સ્થિરતા અને સુરક્ષા સાથે રજાનો લાભ મળે છે.

ગુજરાત સરકારનો આ નિર્ણય લિંગ સમાનતા અને કામકાજી મહિલાઓના અધિકાર માટે મહત્વનો પગથિયું છે. હવે નોકરી પહેલાં માતૃત્વ ધારણ કરનાર મહિલાઓને પણ ગેરલાભથી બચી શકાય છે અને તેમને અધિકૃત રીતે આરામ તથા બાળકની સંભાળ માટે સમય મળી રહે છે.

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *