અમદાવાદના ચંડોળા તળાવનો નવો અવતાર હવે સહેલાણીઓને પણ આકર્ષશે:- તાજેતરમાં થયેલી તોડફોડ બાદ તળાવને નવા રૂપમાં રજૂ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટની યોજના અમલમાં મુકાઈ છે. 27.53 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ શરૂ થયો છે, જેમાં વોક વે, જંગલ-જિમ, એમ્ફીથિયેટર જેવી વિવિધ સાઇટ seeing સુવિધાઓનો સમાવેશ છે.
4,000 જેટલા મકાનો તોડી 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાઈ:-
29 અને 30 એપ્રિલે મ્યુનિસિપલ તંત્રે પોલીસ બંદોબસ્ત સાથે 4 હજાર જેટલા કાચાં-પાકાં મકાન તોડી દઈને સરકારી જમીનમાંથી દબાણો દૂર કર્યાં છે. આ કાર્યવાહી બાદ તળાવના વિકાસ માટેનો માર્ગ મોકળો થયો છે.
નર્મદાના પાણીથી તળાવ ભરાશે, STP પ્લાન્ટ પણ બનશે:-
તળાવમાં ઘોડાસર કેનાલના માધ્યમથી નર્મદાનું પાણી ઠાલવાશે. સાથે જ ગટરના ટ્રીટેડ પાણી માટે STP પ્લાન્ટ પણ બનાવાશે, જેથી તળાવમાં બારેમાસ પાણી ભરેલું રહે.
સાત ફેઝમાં થશે વિકાસ, પહેલી ફેઝનો કામ શરૂ:-
ચંડોળા તળાવનું રીડેવલપમેન્ટ સાત તબક્કામાં થશે. પ્રથમ તબક્કો દાણીલીમડાથી નારોલ તરફના વિસ્તાર માટે છે. હાલ વોક વે, ખંભાતી કૂવો અને ડીપનિંગનું કામ શરૂ છે.
વિશેષ સુવિધાઓ અને સુદૃઢ બાંધકામ:-
-
વોક વે અને પ્રોમિનાડ
-
જંગલ-જિમ, પાર્ટી પ્લોટ
-
એમ્ફીથિયેટર, સુએજ પંપિંગ સ્ટેશન
-
તળાવની આસપાસ રિપેરીઅન ઝોન અને વૃક્ષારોપણ
કાંકરિયાની જેમ ટૂરિઝમ હબ બનાવવાનો લક્ષ્ય:-
આ ડેવલપમેન્ટ બાદ દાણીલીમડા, ઈસનપુર, ઘોડાસર અને શાહ આલમના રહેવાસીઓને હરવાફરવા માટે ખાસ કાંકરિયા જવું ન પડે એવું તળાવનો કાયાપલટ થશે. પ્રોજેક્ટ પછી આ વિસ્તાર નવો ટૂરિઝમ હબ બની શકે છે.
ફરી દબાણ ન થાય એ માટે દીવાલ અને સર્વે:-
મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે તળાવની હદ નક્કી કરવાની કામગીરી શરૂ કરી છે. દશા માતા મંદિર તરફથી તળાવને દીવાલથી બંધ કરવામાં આવશે જેથી ફરીથી દબાણ ન થાય.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






