અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી. ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે.
ટ્રાફિક વિના મુસાફરી સરળ રહેશે:- અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થતાં લોકોને ગાંધીનગર જતી વખતે ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે. તેઓ કાળઝાળ ગરમીમાં એરકન્ડિશન્ડ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. તેમને અવરજવરમાં કોઈ મુશ્કેલી નહીં પડે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I








