અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે

ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે

અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી. ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે.

 

Image

ટ્રાફિક વિના મુસાફરી સરળ રહેશે:- અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થતાં લોકોને ગાંધીનગર જતી વખતે ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે. તેઓ કાળઝાળ ગરમીમાં એરકન્ડિશન્ડ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. તેમને અવરજવરમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

“મારી ખેતી મારૂ ગર્વ” – “B-India કૃષિ રત્ન એવોર્ડ – 2026” | PROMO

ગુજરાતના ખમિરવંતા ખેડૂતોના પરિશ્રમને પારિતોષીત કરવા માટેની B-India Newsની અનોખી પહેલ…. અમે કરી રહ્યા છીએ ગુજરાતના પ્રગતિશીલ અને નવીનતા લાવનાર ખેડૂતોને વિશેષ રીતે સન્માનીત કરવાનો વિનમ્ર પ્રયાસ… “B-India કૃષિ રત્ન…

ચૈત્ર નવરાત્રી 2026: આજ નવરાત્રીનો બીજો દિવસ, કરો માતા બ્રહ્મચારિણીની ઉપાસના, જાણો પૂજન વિધિ

ચૈત્ર નવરાત્રી નવ દિવસોનું પવિત્ર હિંદુ તહેવાર છે, જેમાં મા દુર્ગાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. દરેક દિવસ દેવીના એક વિશેષ સ્વરૂપને સમર્પિત હોય છે. નવરાત્રી 2026 ના બીજા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *