અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે

ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે

અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી. ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે.

 

Image

ટ્રાફિક વિના મુસાફરી સરળ રહેશે:- અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થતાં લોકોને ગાંધીનગર જતી વખતે ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે. તેઓ કાળઝાળ ગરમીમાં એરકન્ડિશન્ડ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. તેમને અવરજવરમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ચામડી દઝાડતા તાપમાં કેવા પ્રકારનું સનસ્ક્રીન વાપરવું? ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો

ઉનાળાની ઋતુ પોતાની સાથે અનેક પડકારો લઈને આવે છે, જેમાંથી એક છે ત્વચા સંબંધિત સમસ્યાઓ. હકીકતમાં, સૂર્યના તીવ્ર કિરણોના સંપર્કમાં આવવાથી ત્વચાને નોંધપાત્ર નુકસાન થાય છે. યુવી કિરણોત્સર્ગના સંપર્કમાં આવવાથી ત્વચામાં વિવિધ ફેરફારો થાય છે, જેમ કે શુષ્કતા, કરચલીઓ, ઇલાસ્ટિન અને કોલેજનનું ભંગાણ, ફ્રીકલ્સ અને ઉંમરના ફોલ્લીઓ. તેથી, આ ઋતુ દરમિયાન, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે યોગ્ય SPF સ્તર સાથે નિયમિતપણે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સનસ્ક્રીન ખરીદતી વખતે તમારે કયા પરિબળો ધ્યાનમાં રાખવા જોઈએ.

Census2026/ 1 જૂનથી શરૂ, ગુજરાતીઓ તૈયાર રહો આ 33 સવાલોનાં જવાબ આપવા માટે

Gujarat Census 2026: ગુજરાતમાં આગામી 1 જૂન, 2026થી 30 જૂન, 2026 દરમિયાન રાજ્યવ્યાપી વસ્તી ગણતરી અને હાઉસ લિસ્ટિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ વખતે સરકાર વસ્તી ગણતરીની (Gujarat Census 2026) પ્રક્રિયાને વધુ આધુનિક, ઝડપી અને ભૂલરહિત બનાવવા માટે સંપૂર્ણપણે ડિજિટલ ટેક્નોલોજી પર ભાર મૂકી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *