Gandhinagar: સેક્ટર 4માં ગેસનો બાટલો થયો બ્લાસ્ટ, આગ પર કાબૂ મેળવવા જતાં 4 ફાયર વિભાગના કર્મચારી ઇજાગ્રસ્ત

રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન આગની વધુ કે ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં અચાનક આગની ઘટના સામે આવી હતી. જેમાં આગ પર કાબૂ મેળવવા જતાં જોરદાર બ્લાસ્ટ થતાં 4 ફાયર ફાઈટર્સ ઈજાગ્રસ્ત થઇ ગયા હતા. આ બ્લાસ્ટમાં 4 ફાયર વિભાગના કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

આ મામલે ફાયર ફાઈટર્સ વિભાગના અધિકારીએ કહ્યું કે અમને ગાંધીનગરના સેક્ટર 4 માં જાહેર શૌચાલયની પાછળ આવેલા ઝુંપડામાં આગ લાગી હોવાની જાણકારી આપતો એક કોલ આવ્યો હતો જેના પર ત્વરિત કાર્યવાહી કરતાં ટીમને રવાના કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચતા જ ટીમ દ્વારા આગ ઓલવવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવતા જ શૌચાલયની પાછળ આવેલા આગમાં લપેટાયેલા ઝુંપડામાં ગેસના બાટલામાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. જેની લપેટમાં ફાયર ફાઈટર્સ ટીમના 4 સભ્યો આવી ગયા હતા. ચારેયની હાલત અત્યારે ગંભીર જણાવાઈ રહી છે અને તેમની સારવાર કરવામાં આવી રહી છે.

ત્રણ કર્મચારીને અમદાવાદ રિફર કરાયા
ગેસનાં બાટલાનાં કારણે બ્લાસ્ટ થયાનો પ્રાથમિક અનુમાન છે. 4 થી વધુ ફાયર રેસ્ક્યુ ટીમનાં કર્મચારીઓ દાઝતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ચાર પેકી ત્રણને તાત્કાલિક અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. ફાયર વિભાગના કર્મચારી મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર અને વિપુલ રબારીને સારવાર માટે અમદાવાદ સિવિલમાં રિફર કરવામાં આવ્યા છે. જ્યારે ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર સિવિલમાં સારવાર હેઠળ છે. ઘટનાની જાણ થતાં જ ગાંધીનગરનાં મેયર મીરા પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ગુજરાત વિધાનસભા ખાતે સેવા અને સમર્પણના પ્રતિક પૂજ્ય કસ્તૂરબા ગાંધીજીની ૧૫૭મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પુષ્પાંજલિ અર્પણ

સેવા, ત્યાગ અને સમર્પણના મૂલ્યોનું પ્રતિક બનેલા પૂજ્ય કસ્તૂરબા ગાંધીજી ની ૧૫૭મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તેજ: અમદાવાદના ભાજપ પક્ષના ઉમેદવારોની યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો શિખરે પહોંચ્યો છે. રાજ્યમાં આગામી 26 એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે, જ્યારે 28…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *