Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને હવે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વની વાતએ છે કે, અનભ જેમ્સ કંપન પીવાના પાણીના કુલરમાં તપાસ કરતા તેમાંથી સેલફોસની પડીકી મળી આવી છે.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

શું કહ્યું પ્રફુલ પાનસેરિયાએ
સમગ્ર ઘટના અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં એક ડાયમંડ ફેક્ટરીમાં કોઈ અસામાજિક તત્વએ પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હતું, 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને બીજા 14 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા સેફ છે બધાનું સ્વાસ્થ્ય સારું છે, બે કર્મચારીને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે તે પણ સ્વસ્થ છે, હું આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતી કાલ સુધીમાં તમામ લોકોને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ ચારે તરફથી તપાસ કરી રહી છે. જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે ખુબ જ ડેન્જર બાબત છે 118 જેટલા રત્નકલાકારો આજે હોસ્પિટલમાં દાખલ છે જેણે આ કર્યું છે તેને સજા ભોગવવી જ પડશે, પોલીસ કામગીરી કરી રહી છે હાલ તમામ રત્નકલાકારોનું સ્વાસ્થ્ય સારું છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

ખાખીનો માનવતાવાદી ચહેરો: પૂરના છાતીસમા પાણીમાં ઊતરીને ડોલવણ પોલીસે ૪ લોકોના જીવ બચાવ્યા

કુદરતી આફત કે પૂર જેવા વિકટ સંજોગોમાં જ્યારે લોકો પોતાના જીવ બચાવવા વલખાં મારતા હોય છે, ત્યારે પ્રજાનો રક્ષક બનીને સામે આવતો ખાખી વર્દીધારી પોલીસ જવાન સાચા અર્થમાં દેવદૂત સાબિત થાય છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવી જ એક હૃદયસ્પર્શી અને સાહસિક ઘટના સામે આવી છે, જ્યાં ડોલવણ પોલીસે પોતાના જીવના જોખમે પૂરના ગળાડૂબ પાણીમાં ઊતરીને ૪ લોકોનો જીવ બચાવીને માનવતા અને ફરજનિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ધોડિયાવાળ ગામ પાસે ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી એટલી ઝડપથી વધી રહ્યા હતા કે ધોડિયાવાળ વિસ્તારમાં ૪ જેટલા નાગરિકો ચારેય તરફથી પાણીથી ઘેરાઈ ગયા હતા. પાણીનું વહેણ અત્યંત ઝડપી હતું અને જો સમયસર મદદ ન પહોંચે…

ફરિયાદ કરો, તપાસ થશે! જાણો AMC વિજિલન્સની કામગીરી

પંકજ મકવાણા – અમદાવાદ: ફરિયાદથી ફેક્ટ સુધી: અમદાવાદ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાં લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અથવા ગેરવર્તણૂક અંગે કોઈપણ નાગરિક પાસે વિશ્વસનીય માહિતી કે પુરાવા હોય તો તેની તપાસ માટે AMCનું વિજિલન્સ ખાતું સત્તાવાર વ્યવસ્થા ધરાવે છે. મ્યુનિસિપલ કમિશનર તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વિજિલન્સ)ની સીધી દેખરેખ હેઠળ કાર્યરત આ વિભાગ ફરિયાદોની તપાસ કરીને સક્ષમ સત્તાને અહેવાલ મોકલે છે તેમજ વહીવટી પ્રક્રિયામાં ગુણવત્તા સુધારવા માટે પણ સમીક્ષા અને સેમ્પલ ટેસ્ટિંગ જેવી કામગીરી કરે છે. ઉપરોક્ત માહિતી AMC Diary 2026ના પેજ નં. 58માં પ્રકાશિત વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે.   લાંચ-ભ્રષ્ટાચાર સામે સત્તાવાર વ્યવસ્થા AMCના વિજિલન્સ વિભાગની મુખ્ય જવાબદારી માત્ર ફરિયાદ નોંધવાની નથી, પરંતુ વહીવટી અને ટેકનિકલ વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ સામે મળતી લાંચ, ભ્રષ્ટાચાર, ગેરરીતિ અને ગેરવર્તણૂક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *