Surat: રત્ન કલાકારોને ઝેરની અસર મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો, જાણો શું છે મામલો

સુરતમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. સુરતમાં અનભ જેમ્સમાં પાણી પીધા બાદ 100 થી વધુ રત્નકલાકારોની તબિયત અચાનક બગડી હતી. હાલ તમામની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. પીવાના પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં અસમાજિક તત્વએ સેલ્ફોસ નામની દાવા (અનાજમાં રાખવામાં આવતી કીટનાશક દવા)ની પડીકી નાખી હોવાનું જાણવા મળતા આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેને લઈને કાપોદ્રા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો છે.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં મીલેનીયમ કોમ્પ્લેક્સમાં અનભ જેમ્સ નામનું હીરાનું કારખાનું આવેલું છે. જેમાં ગઇકાલે પાણી પીધા બાદ 100થી વધુ રત્ન કલાકારની તબિયત લથડી હતી. જેમને કિરણ અને ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. તમામની તબિયત સ્ટેબલ છે. આ બનાવની જાણ થતા ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને હવે કાપોદ્રા પોલીસ મથકમાં હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહત્વની વાતએ છે કે, અનભ જેમ્સ કંપન પીવાના પાણીના કુલરમાં તપાસ કરતા તેમાંથી સેલફોસની પડીકી મળી આવી છે.

આ પણ વાંચો: રાજ્યના ખેડૂતો મળશે મોટી રાહત, સિંચાઈના પાણી મામલે સરકારે લીધો આ મોટો નિર્ણય

શું કહ્યું પ્રફુલ પાનસેરિયાએ
સમગ્ર ઘટના અંગે મંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં એક ડાયમંડ ફેક્ટરીમાં કોઈ અસામાજિક તત્વએ પીવાના પાણીમાં ઝેર ભેળવી દીધું હતું, 104 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને બીજા 14 રત્નકલાકારોને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બધા સેફ છે બધાનું સ્વાસ્થ્ય સારું છે, બે કર્મચારીને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે તે પણ સ્વસ્થ છે, હું આશા રાખું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આવતી કાલ સુધીમાં તમામ લોકોને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે અંગે પોલીસ ચારે તરફથી તપાસ કરી રહી છે. જે બદમાશે આ કૃત્ય કર્યું છે તે ખુબ જ ડેન્જર બાબત છે 118 જેટલા રત્નકલાકારો આજે હોસ્પિટલમાં દાખલ છે જેણે આ કર્યું છે તેને સજા ભોગવવી જ પડશે, પોલીસ કામગીરી કરી રહી છે હાલ તમામ રત્નકલાકારોનું સ્વાસ્થ્ય સારું છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’

ફિલ્મ  The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’  પાછળનો અવાજ એટલે ગીતકાર  સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે.…

ગાંધીનગર વિધાનસભા સત્ર: ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો, 3 દિવસમાં મહત્વના બિલો રજૂ થશે

ગાંધીનગરમાં યોજાનાર રાજ્ય વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા તમામ ધારાસભ્યોને આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *