વકફ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે. મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે, NDAના સાથી પક્ષ JDUએ પોતાનું સમર્થન આપ્યું છે. નીતિશ કુમારના આ નિર્ણયથી પાર્ટીમાં મુસ્લિમ નેતાઓની નારાજગી સામે આવી છે. JDU ના વરિષ્ઠ નેતા ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પાર્ટીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે.
ડૉ. મોહમ્મદ કાસિમ અન્સારીએ પોતાનું રાજીનામું પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સીએમ નીતિશ કુમારને મોકલી દીધું છે. જેડીયુના MLC ગુલામ ગૌસે પણ વક્ફ બિલનો વિરોધ કર્યો હતો. તે ઈદના દિવસે લાલુ યાદવને મળવા પણ પહોંચ્યા હતા. જેને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો.
શું લખ્યું છે પત્રમાં
નીતિશ કુમારને લખેલા પત્રમાં, કાસિમ અન્સારીએ વક્ફ સુધારા બિલ 2024 પર JDUના વલણની ટીકા કરી છે, અને કહ્યું છે કે તેનાથી તેમને અને લાખો સમર્પિત ભારતીય મુસ્લિમો અને કાર્યકર્તાઓને ખૂબ દુઃખ થયું છે. તેમણે એમ પણ કહ્યું છે કે લલ્લન સિંહે લોકસભામાં જે રીતે અને શૈલીથી પોતાનું નિવેદન આપ્યું અને આ બિલને સમર્થન આપ્યું તેનાથી તેમને ખૂબ જ દુઃખ થયું છે. જેના વિશે તમને કે તમારા પક્ષને ખબર નથી. મને અફસોસ છે કે મેં મારા જીવનના ઘણા વર્ષો પાર્ટીને આપ્યા છે. હું પ્રાથમિક સભ્યપદ અને પક્ષના તમામ પદો પરથી રાજીનામું આપું છું.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






