Chhattisgarh: પૂર્વ CM ભૂપેશ બઘેલની મુશ્કેલીમાં થયો વધારો… CBIએ આ કૌભાંડમાં બનાવ્યા આરોપી, જાણો વિગત

છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન . સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તેમને મહાદેવ એપ કૌભાંડમાં આરોપી બનાવ્યા છે. CBIએ 6000 કરોડ રૂપિયાના ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડ સંબંધિત કેસમાં FIRમાં બઘેલનું નામ સામેલ કર્યું છે. એજન્સીએ ચાર રાજ્યોમાં 60 સ્થળોએ દરોડા પાડ્યાના એક અઠવાડિયા પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે, જેમાં બઘેલના નિવાસસ્થાન અને કેટલાક અમલદારો અને પોલીસ અધિકારીઓના ઘરોનો સમાવેશ થાય છે.

FIRમાં જણાવાયું છે કે મહાદેવ બુક એપના માલિકોએ પોલીસ અધિકારીઓ, વહીવટી અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓને સુરક્ષા મની તરીકે મોટી રકમ આપી હતી જેથી તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કોઈ કાર્યવાહી ન થાય. આ પૈસા હવાલા દ્વારા પોલીસ અને વહીવટી અધિકારીઓને મોકલવામાં આવતા હતા અને પછી વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પ્રભાવશાળી રાજકીય વ્યક્તિઓ સુધી પહોંચતા હતા. આ રીતે ઘણા પોલીસ અને વહીવટી અધિકારીઓએ પોતાના ફાયદા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો.

આ પણ વાંચો: શું છે વક્ફ સુધારા બિલ, સરકારને આ બિલ લાવવાની કેમ પડી જરૂર.. જાણો A to Z

શું કહ્યું હતું ભૂપેશ બઘેલે
એજન્સીએ 18 ડિસેમ્બર, 2024 ના રોજ આ કેસમાં FIR નોંધી હતી અને CBIએ છત્તીસગઢ પોલીસ પાસેથી તપાસ સંભાળ્યા પછી બઘેલનું પણ આરોપી તરીકે નામ આપ્યું છે. આ અંગે ભૂપેશ બઘેલે કહ્યું, ‘મને CBI FIR ની જાણ નથી. FIR ની વિગતો મળ્યા પછી જ હું જવાબ આપીશ.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Instagram : https://www.instagram.com/bindiadigital/
 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ

આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા…

ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ 

19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *