સુરતમાં હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર, 12 પ્રકારના હીરાના ભાવમાં કરાયો વધારો

સુરતમાં હીરા ઉદ્યોગ પરથી મંદીનું ગ્રહણ દૂર થશે. ઘણા સમયથી મંદીનો સામનો કરી રહેલ હિરા ઉદ્યોગ જાન્યુઆરી મહિનાથી માર્કેટ રિકવરી મોડમાં દેખાઈ રહ્યો છે. 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા ઉદ્યોગકારો અને રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

–: હીરાના ભાવમાં કરાયો વધારો :-

હીરા ઉદ્યોગ છેલ્લા બે-અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયો હતો. પરંતુ હાલમાં રેપાપોર્ટેના કેટલીક ચોક્કસ સાઈઝના હીરાના ભાવમાં વધારો કરતાં હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે. રેપાપોર્ટે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી. રેપાપોર્ટે નિશ્ચિત પ્રકારના હીરામાં સાડા ત્રણથી સાડા દસ ટકા જેટલો વધારો કર્યો છે. ઉદ્યોગકારોને આ ઉપરાંત બીજી સાઈઝના હીરાના ભાવમાં વધારાની પણ આશા છે.

–: હીરા ઉદ્યોગમાં હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ :-

નોંધનીય છે કે, હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગ્યું હતું. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે દાયકાઓ બાદ હીરા ઉદ્યોગમાં આવી મંદી જોવા મળી હતી. 1966 એટલે કે 50 વર્ષ સુધીના વર્ષોના ગાળા બાદ મહામંદી જોવા મળી હતી. હીરા ઉદ્યોગમાં ચાલતી મંદીને લઈને વેપારીઓ ધંધા બદલવા લાગ્યા હતા તો અનેક રત્નકલાકારોએ જીવન ટૂંકાવ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. તો કેટલાક લોકો લૂંટ અને ચોરી જેવા ગેરકાનૂની કામો કરવા લાગ્યા હતા.

Related Posts

ઇટાલી : સિસિલીમાં માઉન્ટ એટના જ્વાળામુખી ફાટ્યો, રાખના ગોટાથી કેટાનિયા એરપોર્ટ બંધ

ઇટાલીના સિસિલી ટાપુ પર આવેલા વિશ્વના સૌથી સક્રિય જ્વાળામુખીઓ પૈકીના એક માઉન્ટ એટનામાં સોમવારે સવારે ફરી એકવાર જ્વાળામુખી વિસ્ફોટ થયો હતો. જ્વાળામુખીમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો અને રાખનું વાદળ ઊઠતાં તેની સીધી અસર નજીકના કેટાનિયા એરપોર્ટ પર પડી હતી. રાખના વાદળને કારણે વિમાન ઉડાન અને લેન્ડિંગ માટે જોખમી સ્થિતિ સર્જાતાં એરપોર્ટનું સંચાલન અસ્થાયી રીતે બંધ કરવાની ફરજ પડી હતી. માઉન્ટ એટનાની પ્રવૃત્તિ વધતાં સ્થાનિક તંત્ર અને એરપોર્ટ ઓથોરિટી દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. એરપોર્ટ પર પહોંચેલા મુસાફરોને પણ પરત જવાની સૂચના આપવામાં આવી હતી. ઇટાલીમાં રાખના વાદળથી ફ્લાઇટ ઓપરેશન પ્રભાવિત માઉન્ટ એટનામાંથી નીકળેલા રાખના ગોટા અને ધુમાડો વાતાવરણમાં ફેલાતા હવાઈ મુસાફરી માટે જોખમ ઊભું થયું હતું. જ્વાળામુખીની રાખ વિમાનના એન્જિન અને અન્ય મહત્વપૂર્ણ ભાગો માટે…

ગુજરાત પર વરસાદી સિસ્ટમો સક્રિયઃ આગામી દિવસોમાં મેઘરાજા ધમરોળશે, 40 કિમીની ઝડપે પવનની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવનની સ્થિતિ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, બનાસકાંઠા અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અરવલ્લી અને મહીસાગરમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ વધી શકે છે. ખાસ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *