Gandhinagar : રાજ્યમાં ગરમી પડવાની થઈ શરૂઆત, પવનોની દિશા બદલાતા તાપમાન વધશે

રાજ્યમાં આજથી ગરમી વધવાનું અનુમાન હવામાન વિભાગે કર્યુ છે.પવનોની દિશા બદલતા તાપમાન ઊંચકવાની શરૂઆત થઈ છે. હાલમાં તમામ જિલ્લાઓનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ કરતા ઓછું નોંધાઈ રહ્યું છે પરંતુ, ત્રણ દિવસ બાદ જે પ્રકારે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી વ્યક્ત કરી છે, તે રીતે 40 ડિગ્રી કે તેનાથી પણ વધુ મહત્તમ તાપમાન કેટલાક જિલ્લાઓનું થઈ શકે છે. હાલમાં પશ્ચિમ તથા ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી પવન આવી રહ્યા છે, જેથી આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર થશે નહીં પરંતુ, ત્યારબાદ ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે, જે ગરમ રહેશે તેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધશે.

આ પણ વાંચો :- Gandhinagar : અસામાજીક તત્વોની દાદાગીરી હવે નહીં ચાલે, હર્ષ સંઘવીએ કહ્યું-કોઈ દંગા મચાવશે તો દાદાનું બુલડોઝર ફરશે

કયાં કેટલું તાપમાન નોંધાયું :- હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધુ તાપમાન મહુવામાં 38.2 ડિગ્રી,અમદાવાદમાં 37.5 ડિગ્રી, ગાંધીનગરમાં 37.4 ડિગ્રી,ડીસામાં 38.1 ડિગ્રી, વડોદરામાં 37 ડિગ્રી,સુરતમાં 36 ડિગ્રી, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 36.8 ડિગ્રી, પોરબંદરમાં 35.2 ડિગ્રી, ભાવનગરમાં 35.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 37.3 ડિગ્રી,રાજકોટમાં 37.7 ડિગ્રી, કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

આ પણ વાંચો :- Gandhinagar : આજે ગુજરાત વિધાનસભાની બેઠક યોજાશે, વિવિધ મુદ્દાઓ પર થશે ચર્ચા

ગરમીનો પારો ઉચકાયો :- રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં તાપમાનનો પારો ઊંચે જતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. રાજસ્થાનની દક્ષિણ પશ્ચિમે સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથેસાથે સમુદ્રની સપાટીથી પાંચ કિલોમીટરની ઉંચાઈએ સર્જાયેલ ટ્રર્ફને કારણે પણ ગુજરાતમાં ગરમીનો પારો ઉચકાયો છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media

🔔 YouTube : https://www.youtube.com/@BIndiaDigital
📸 Instagram : https://www.instagram.com/bindiadigital/
🌐 Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP : https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

Dwarkaમાં જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ: દર્શન માટે ઉમટશે ભક્તોનો મહાસાગર! 2026 Spiritual Peak

Dwarkaમાં જન્માષ્ટમીનો ભવ્ય મહોત્સવ: ભગવાન દ્વારકાધીશના દર્શન માટે ઉમટશે ભક્તોનો મહાસાગર દ્વારકા જન્માષ્ટમી 2026: ગુજરાતના પવિત્ર યાત્રાધામ Dwarkaમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાના અનોખા સંગમ સાથે કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાધીશ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવે છે અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચે છે. મધરાત્રીના સમયે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની વિશેષ પૂજા અને આરતી યોજાતા સમગ્ર દ્વારકા ‘જય શ્રીકૃષ્ણ’ના જયઘોષથી ગુંજી ઊઠે છે. -> Dwarkaમાં જન્માષ્ટમીનું વિશેષ મહત્વ : ભગવાન  શ્રીકૃષ્ણની પવિત્ર નગરી તરીકે દ્વારકાનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણે મથુરાથી સ્થળાંતર કર્યા બાદ દ્વારકામાં પોતાની રાજધાની સ્થાપી હતી. તેથી જન્માષ્ટમીના પર્વ દરમિયાન દ્વારકાધીશના દર્શનનું વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે…

પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક Urgent Rescue 2026

REPORTER : ANIL RAMANUJ પાટણના વૌવા Villageમાં હિંસક વન્યપ્રાણીનો આતંક: 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત, બાળકી સહિત વૃદ્ધા પર હુમલાથી ભયનો માહોલ પાટણ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા Villageમાં વહેલી સવારે હિંસક વન્યપ્રાણીના હુમલાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રિના અંતિમ પહોરથી વહેલી સવાર સુધી એક અજાણ્યા પ્રાણીએ Villageના અલગ-અલગ વિસ્તારોમાં જઈને લોકો પર હુમલા કર્યા હતા. આ ઘટનામાં 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. ઈજાગ્રસ્તોમાં બાળકો, મહિલાઓ અને વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે. તમામને સારવાર માટે ધારપુરની GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ગંભીરતા એટલી હતી કે એક 7 વર્ષની બાળકીના ગાલના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ એક વૃદ્ધા પર થયેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *