હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ, જાણો શું છે મામલો

ગોંડલમાં ચકચારી હનીટ્રેપ કેસમાં પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગોંડલ પોલીસે પદ્મિનીબા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. ગોંડલ હની ટ્રેપ કેસમાં ગોંડલ પોલીસ પદ્મિનીબા વાળાની પૂછપરછ શરૂ કરશે. બીજી તરફ ફરાર મુખ્ય આરોપી સુધી પહોંચવાનો પોલીસ પ્રયાસ કરશે.

ગોંડલ પોલીસે હનીટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 લોકોની ધરપકડ કરી છે. બીજી તરફ મુખ્ય આરોપી તેજલ છૈયા પોલીસ પકડથી દૂર છે. પોલીસે પદ્મિનીબા ઉપરાંત સત્યજીતસિંહ વાળા, શ્યામ રાયચુરા,અને હિરેન દેવડીયાની ધરપકડ કરી છે.

જાણો શું છે મામલો
ગત વર્ષની લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજનું આંદોલન શરૂ થયું હતું. આ સાથે જ ક્ષત્રિય આંદોલનથી સતત ચર્ચામાં રહેલા અને વિવાદમાં રહેતાં ક્ષત્રિય સમાજનાં મહિલા નેતા પદ્મિનીબા વાળા વિરુદ્ધ ગોંડલના જેતપુર રોડ પર રહેતા રમેશ અમરેલિયા નામની વ્યક્તિએ હની ટ્રેપમાં ફસાવવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પદ્મિની બા અને તેમના પુત્ર સાથે અન્ય ત્રણ સહિત કુલ પાંચ લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

પદ્મિનીબા વાળાએ આરોપો ફગાવ્યા હતા
60 વર્ષીય નિવૃત્ત વ્યક્તિએ ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે, તેજલ છૈયા નામની યુવતી દ્વારા પોતાનાં પ્રેમજાળમાં ફસાવી, પૈસાની માંગણી, મકાન પચાવી પાડવાની ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. સાથે જ આ ષડયંત્રમાં પદ્મિનીબા વાળાની પણ સંડોવણી હોવાનો આક્ષેપ ફરિયાદમાં થયો હતો. જો કે, પદ્મિનીબા વાળાએ આ તમામ આરોપોને ફગાવ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદની અમૂલ ડેરી ખાતે “અમૂલ AI”નો શુભારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદની અમૂલ ડેરી ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે તેમણે નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી સહકારી ચળવળને વધુ સુદ્રઢ બનાવવાના ભાગરૂપે “અમૂલ AI”નું વિધિવત્ લોન્ચિંગ કર્યું.…

ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ સાથે ત્રણ રાજ્યોના વિધાનસભા અધ્યક્ષોની મુલાકાત, થઈ આ મુદે ચર્ચા

ગુજરાત લોકભવન ખાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચોધરી, હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ તેમજ મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ રામ શિંદેએ શુભેચ્છા મુલાકાત યોજી. રાજ્યપાલ એ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *