જસાધાર રેન્જમાં સિંહની પજવણી કરતા વેરાવળના 3 યુવાન ઝડપાયા, જાણો વિગત

ગીરના જસાધાર રેન્જમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સિંહની ગેરકાયદેસર પજવણી (Lion Chasing) કરતા વેરાવળના ત્રણ યુવાનને વન વિભાગે ઝડપી પાડ્યા છે.

માહિતી અનુસાર, બાબરીયા રેન્જના વન અધિકારીએ રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન ત્રણેય શખ્સોને પજવણી કરતા ઝડપી લીધા અને તેમને જસાધાર રેન્જના RFOને સોંપ્યા હતા.

મોબાઇલ તપાસતા ભાંડો ફૂટ્યો
વનવિભાગે ત્રણે યુવકોના મોબાઇલ ચેક કરતા તેમાં સિંહની પજવણીના વીડિયો મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ વારંવાર જંગલ વિસ્તારમાં જઈ સિંહોની પજવણી કરતા અને વીડિયો શૂટ કરતા હતા. વન વિભાગે આ વિડીયો પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કર્યા છે.

કાનૂની કાર્યવાહી અને રિમાન્ડ
વન અધિકારીઓએ ત્રણે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા બાદ એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો. રિમાન્ડ પૂર્ણ થતાં, તેમને જૂનાગઢ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે. આ કેસની આગામી સુનાવણી 27 ઓક્ટોબરના રોજ યોજાશે.

જપ્તી અને પુરાવા
વન વિભાગે આરોપીઓની કાર અને મોબાઇલ ફોન કબ્જે કર્યા છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓના મોબાઇલમાં બાબરીયા રેન્જના વીડિયોઝ પણ મળ્યા, જેના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વન વિભાગની ચેતવણી
વન અધિકારીઓએ જણાવ્યું છે કે,“ગિરના જંગલોમાં વન્યપ્રાણીઓની પજવણી અથવા ફોટોગ્રાફી માટે ગેરકાયદેસર પ્રવેશ ગુનાહિત છે.
આવા કૃત્યો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

ગીર વિસ્તારના સિંહોના સુરક્ષિત વિસ્તારની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વન વિભાગની સતર્કતા વધારાઈ છે. આ કાર્યવાહી અન્ય શોખીન પ્રવાસીઓ અને સોશિયલ મીડિયા માટે સ્ટંટ કરનારા યુવાનો માટે ચેતવણીરૂપ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ગુજરાતના મત્સ્યઉદ્યોગમાં સૌરાષ્ટ્ર–કચ્છનો 80% સુધીનો ફાળો, જાણો શું કહે છે આ આંકડા

ગાંધીનગર, 5 ડિસેમ્બર 2025: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ ના વિઝનને અનુરૂપ, ગુજરાત રાજ્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં નોંધનીય વૃદ્ધિ હાંસલ કરીને ભારતના વાદળી અર્થતંત્રને મજબૂત બનાવવામાં અગ્રણી ભૂમિકા ભજવી…

કળયુગી પિતાએ 29 વર્ષના પુત્રની કરાવી હત્યા, કારણ જાણી ચૌકી જશો

ઉત્તર પ્રદેશના સંભલના રહેવાસી અનિકેત શર્મા (29) ની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. તેનો મૃતદેહ મુરાદાબાદમાં મળી આવ્યો હતો. શરૂઆતમાં, તે માર્ગ અકસ્માત હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે…