સુરતથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ : GSRTCની 10 નવી વોલ્વો બસોને લીલી ઝંડી

બુલેટિન ઈન્ડિયા સુરત : સુરતથી ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટને જોડતી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની 10 નવી વોલ્વો એસી લક્ઝરી બસોને અહીંના એસવીએનઆઈટી સર્કલ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ ફ્લ્ગ કરી હતી.

નવી બસોમાં ૪૭ બેઠક ક્ષમતા છે જેમાં ૨ બાય ૨ ચામડાની આરામદાયક પુશ બેક બેઠકો અને મોબાઇલ ફોન ચાર્જિંગ સુવિધા છે. બસો ૧૩.૫૦ મીટર લાંબી છે. તેમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ, સીસીટીવી કેમેરાની તકેદારી, સીડી સાથે ઇમરજન્સી એક્ઝિટ વિન્ડો છે.

હવે સુરતથી ગાંધીનગર, ગાંધીનગરથી સુરત, સુરતથી નહેરુનગર (અમદાવાદ), નહેરુનગરથી સુરત અને સુરતથી રાજકોટ સુધીની બસો ચાલુ છે.

Related Posts

બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો

બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ…

અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *