વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે

વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતના ભાગરૂપે 1 થી 5 મે 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ સુરતમાં યોજાશે
*
VGRE 2026 સમગ્ર દક્ષિણ ગુજરાતમાં MSME, ઔદ્યોગિક અને ક્ષેત્રીય વિકાસને વેગ આપવા માટે તૈયાર છે
*
ગાંધીનગર, 27 એપ્રિલ 2026: ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) – દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1 થી 5 મે 2026 દરમિયાન તે જ સ્થળે યોજાશે, જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે. 12,000 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત થનારું આ પ્રદર્શન સવારે 10:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.

ત્રીજી VGRC કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટુરિઝમ સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તથા આ ઉચ્ચ-વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ પણ ભાગ લેશે. વ્યૂહાત્મક ભાગીદારી, નીતિ સહાય અને રોકાણકારોની ભાગીદારી દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતના દક્ષિણ ક્ષેત્રોમાં સમાવિષ્ટ વિકાસ અને સસ્ટેનેબિલીટી સુનિશ્ચિત કરી ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.

અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) જે રાજકોટ ખાતે આયોજિત થયું હતું એની વાત કરીએ એ તો, 11 જાન્યુઆરી, 2026ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE)નું ઉદ્ઘાટન થયું હતું. આ દરમિયાન પ્રદર્શનમાં 450 થી વધુ પ્રદર્શકો, જેમાં 160 થી વધુ MSME, 60 જેટલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ, 62 જેટલા હસ્તકલા અને હસ્તશિલ્પ સાથે સંકળાયેલા ઉન્નત કારીગરો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના 70 સ્ટોલ હતા.

આ અગાઉ, ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે મહેસાણામાં યોજાયેલા પ્રથમ રિજનલ એક્ઝિબિશનમાં 18,000 ચોરસ મીટર વિસ્તારમાં 410થી વધુ પ્રદર્શકો (170+ MSME સહિત), છ થીમેટિક પેવેલિયન અને 80,000થી વધુ મુલાકાતીઓને આવકાર્યા હતા.

આ VGRE 2026 દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ, ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે, જે MSMEs, હસ્તકલા અને કુટિર ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવામાં સહાયરૂપ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન MSME, હસ્તકલા અને કુટીર ઉદ્યોગોને પણ સેવા આપશે. આનાથી હિસ્સેદારોને નવા બજારો સાથે જોડવામાં મદદ મળશે. મુલાકાતીઓ https://vibrantgujarat.com/registration લિંક પર નોંધણી કરાવી શકે છે.

ગુજરાત સ્થાપના દિવસના અવસરે ઉજવાતી ગૌરવશાળી પરંપરાને વધુ અર્થપૂર્ણ બનાવતાં, આ વર્ષે સુરતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) રાજ્યના વિકાસયાત્રાને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. 1 મેના આ ઐતિહાસિક દિવસે યોજાનાર આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક પ્રગતિના દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે, સાથે જ “વિક્સિત ભારત@2047”ના વિઝન સાથે સુસંગત રહી પ્રાદેશિક વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરશે. VGRC દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે અને ગુજરાતની વિકાસગાથાને વધુ ગતિ મળશે.

  • Related Posts

    LPG Price 16 ઓગસ્ટે LPGના ભાવમાં રાહત…

    LPG Price Today 16 August 2026: ઘરેલુ LPGના ભાવમાં કોઈ મોટો ફેરફાર નહીં, જાણો આગળ શું થશે LPG Price Today: 16 ઓગસ્ટ 2026ના રોજ મોટા શહેરોમાં ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો નથી. LPG આંતરરાષ્ટ્રીય સપ્લાય અને વેસ્ટ એશિયાની સ્થિતિ વચ્ચે આગામી દિવસોમાં ભાવને લઈને ચર્ચા ચાલુ છે. 16 ઓગસ્ટ 2026: દેશના કરોડો પરિવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં હાલ કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. 16 ઓગસ્ટના રોજ મોટા શહેરોમાં ઘરેલુ LPGના ભાવ અગાઉના સ્તરે જ સ્થિર રહ્યા છે. જોકે, LPG આંતરરાષ્ટ્રીય બજારમાં સપ્લાયની સ્થિતિ, ક્રૂડ ઓઈલના ભાવ અને વેસ્ટ એશિયામાં ચાલી રહેલા ભૌગોલિક પરિબળોને કારણે આગામી સમયમાં LPGના ભાવમાં શું ફેરફાર થશે તેના પર બજારની નજર છે.…

    Gujarat : ગુજરાતમાં ભેળસેળયુક્ત ₹35 લાખનું ઘી તેલ જપ્ત…Unyielding Protection

    Gujaratમાં ભેળસેળ સામે મોટી કાર્યવાહી: સુરત અને ડીસામાં ₹35 લાખનું ભેળસેળયુક્ત ઘી-તેલ જપ્ત Gujaratમાં ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રી સામે ફૂડ ઓથોરિટીની મોટી કાર્યવાહી. સુરત અને ડીસામાં દરોડા દરમિયાન આશરે ₹35 લાખનું ભેળસેળયુક્ત ઘી અને તેલ જપ્ત કરવામાં આવ્યું. Gujaratમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત અને ડીસામાં ફૂડ ઓથોરિટી દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન આશરે ₹35 લાખનું ભેળસેળયુક્ત ઘી અને તેલ જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી બાદ ખાદ્ય ચીજવસ્તુઓના વેપારીઓ અને ઉત્પાદકોમાં પણ ચકચાર જોવા મળી રહી છે.તહેવારોની સિઝન નજીક આવતી હોય ત્યારે ખાસ કરીને ઘી, તેલ, માવા, મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની શક્યતા વધી જાય છે. આવી સ્થિતિમાં ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી…