8મું પગાર પંચ: લઘુતમ પગાર ₹18,000થી ₹69,000 સુધી વધારાની શક્યતા, કર્મચારીઓમાં ખુશીનો માહોલ

પગાર વધે તે કોણે ન ગમે ? આમ તો પગારમાં યોગ્ય માપદંડ અને પગારમાં સમયસર વધારોએ કર્મચારીઓનાં હક કરતા પણ મોરલ-મોટીવેશન બુસ્ટર કહી શકાય. હાલનાં અત્યંત તણાવ પૂર્ણ સમયમાં એપ્રિસિએશન અને અપગ્રેશન અનેક રીતે જરૂરી છે. અને કદાચ આવા જ અનેક કારણો સહ સરકાર પણ કર્મચારીની સાઇડે ઉભી રહેતી હોવાનું પ્રતિત થાય છે. આવી જ પ્રતિતિ હાલમાં જ ખુશહાલી લાવી છે.

દેશના આશરે 45 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનરો માટે 8મા પગાર પંચને લઈને મહત્વપૂર્ણ હલચલ શરૂ થઈ ગઈ છે. સરકાર દ્વારા રચાયેલ આ પંચ હવે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરી રહ્યું છે અને વિવિધ રાજ્યોમાં કર્મચારી સંગઠનો સાથે ચર્ચા કરી રહ્યું છે. તાજેતરમાં ઉત્તરાખંડમાં બેઠક પૂર્ણ થયા બાદ, હવે 28થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે, જ્યારે મે મહિનામાં મહારાષ્ટ્રમાં પણ ચર્ચાઓ થવાની છે.

આ પણ વાંચો – ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી રશિયા પહોંચ્યા, પુતિન સાથે શાંતિ મંત્રણા માટે મુલાકાત

કર્મચારી સંગઠનોના સંયુક્ત મંચ (NC-JCM) દ્વારા સરકાર સમક્ષ ફિટમેન્ટ ફેક્ટર 3.833 કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. જો આ માંગ સ્વીકારવામાં આવે, તો હાલનો લઘુતમ બેઝિક પગાર ₹18,000થી વધીને લગભગ ₹69,000 સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત, મોંઘવારી ભથ્થું (DA) નક્કી કરવા માટે છેલ્લા 12 મહિનાની સરેરાશને આધાર બનાવવાનો પણ પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. આ વખતે પગાર પંચમાં પરિવારની એકમ સંખ્યા અંગે પણ મોટો ફેરફાર થઈ શકે છે.

આ પણ જુઓ – ચાર ચોક વિસ્તારમાં શિવ ટ્રેડર્સ દુકાનમાં ભયંકર આગ

હાલ 3 સભ્યોના પરિવારને આધાર માનવામાં આવે છે, પરંતુ હવે તેને વધારીને 5 સભ્યોના પરિવારને ધ્યાનમાં લેવાની માંગ થઈ રહી છે. સાથે સાથે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ (TA), હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) સહિતની અન્ય સુવિધાઓની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. જાન્યુઆરી 2025માં રચાયેલા આ પગાર પંચને પોતાની ભલામણો આપવા માટે અંદાજે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. પંચનો રિપોર્ટ મળ્યા બાદ જ સરકાર અંતિમ નિર્ણય લેશે. હાલમાં કર્મચારીઓમાં આશા છે કે આ વખતે તેમને મોટો આર્થિક લાભ મળી શકે છે.

 

Follow us on

#pagar #salary #employee #employer #employment #centergovernment #modisarkar #employeeunion

  • Related Posts

    Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, Proactive Transport Strategy

    Gujarat અંબાજી ભાદરવી પૂનમ મેળા માટે 6,000 વધારાની બસો દોડાવાશે: 20થી 26 સપ્ટેમ્બર સુધી વિશેષ વ્યવસ્થા, 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપ્સનું આયોજન  અંબાજી, 16 સપ્ટેમ્બર: Gujaratના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમ મહામેળાને લઈને વહીવટી તંત્ર અને Gujarat રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટા પાયે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અંબાજી માતાના દર્શન માટે પહોંચે છે ત્યારે યાત્રાળુઓને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે આ વખતે ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા ભાદરવી પૂનમ મહામેળા માટે GSRTC દ્વારા આશરે 6,000 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસો દ્વારા અંદાજે 30,000 એક્સ્ટ્રા ટ્રિપ્સ કરવામાં આવશે. મેળા દરમિયાન Gujaratના વિવિધ શહેરો…

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન Meritorious Achievement Honor

    Gujarat : ગાંધીનગરમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27 એનાયત: 5 કેટેગરીમાં 14 વિજેતાઓનું સન્માન, પ્રથમ વિજેતાને રૂ.1 લાખનું ઇનામ Gujarat ગાંધીનગર, 16 સપ્ટેમ્બર:Gujaratમાં આબોહવા પરિવર્તન સામે જાગૃતિ અને નક્કર કામગીરીને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર ખાતે **‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ 2026-27’**નું આયોજન કરવામાં આવ્યું હતું. ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાજ્ય મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં રાજ્યભરમાં પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારા કુલ 14 વિજેતાઓને પાંચ અલગ-અલગ શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે પસંદ થયેલા વિજેતાઓને અનુક્રમે રૂ.1 લાખ, રૂ.75 હજાર અને રૂ.50 હજારનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ક્લાઇમેટ એક્શનને માત્ર સરકારી યોજનાઓ કે નીતિઓ પૂરતું સીમિત ન રાખીને તેને સામાન્ય નાગરિકોની જીવનશૈલીનો…